Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલા તિરુપતિ વેંકટચલપતિ પહોંચ્યા વૈજ્ઞાનિક, મિશનની સફળતા માટે કરી પૂજા

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો) જલ્દી ચંદ્રયાન 3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. સફળ લોન્ચની પ્રાર્થના માટે ઈસરો વૈજ્ઞાનિકની એક ટીમ ચંદ્રયાન 3ના નાના મોડલને લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિર પૂજા અર્ચના  કરી હતી   વૈજ્ઞાનિકોએ પૂજા કરી ઈસરોના વૈજ્ઞાનિકોએ આંધ્રપ્રદેશના...
ચંદ્રયાન 3ના લોન્ચિંગ પહેલા તિરુપતિ વેંકટચલપતિ પહોંચ્યા વૈજ્ઞાનિક  મિશનની સફળતા માટે કરી પૂજા

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો) જલ્દી ચંદ્રયાન 3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. સફળ લોન્ચની પ્રાર્થના માટે ઈસરો વૈજ્ઞાનિકની એક ટીમ ચંદ્રયાન 3ના નાના મોડલને લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિર પૂજા અર્ચના  કરી હતી

Advertisement

વૈજ્ઞાનિકોએ પૂજા કરી
ઈસરોના વૈજ્ઞાનિકોએ આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. બાદમાં તેઓએ નાનું મોડલ બતાવીને કહ્યું કે તે ચંદ્રયાન-3 છે. આવતીકાલે તેનું લોકાર્પણ કરવામાં આવશે. ISROએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ISRO ચંદ્રયાનનું ત્રીજું મિશન 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે.

Advertisement

મંગળવારે રિહર્સલ કર્યું

આ પહેલા મંગળવારે ઈસરોએ ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણનું સફળતાપૂર્વક રિહર્સલ કર્યું હતું. ISRO તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર પ્રક્ષેપણની તૈયારી અને ડમી સ્વરૂપમાં પ્રક્રિયાનું 24 કલાકનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 14 જુલાઈના રોજ મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરશે. ચંદ્રયાન-3નું લક્ષ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. અગાઉ, ઈસરોએ ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 એમ બે મિશન લોન્ચ કર્યા હતા, પરંતુ તે બંને સપાટી પર ઉતરી શક્યા ન હતા.

Advertisement

શું છે ચંદ્રયાન-3?

ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો હાથ ધરશે. તેમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું લક્ષ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે

આ મિશન 14 જુલાઈના રોજ બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી ઉડાન ભરશે અને જો બધુ યોજના મુજબ ચાલશે તો 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. આ પહેલા બુધવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ધરાવતી એન્કેપ્સ્યુલેટેડ એસેમ્બલી LVM-3 સાથે જોડાયેલ હતી. આ મિશનથી ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.

આ પણ  વાંચો-UTTRAKHAND: ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બંધ, હિમાચલથી દિલ્હી સુધી તારાજી

Tags :
Advertisement

.