Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : જીયાણાના પૂર્વ સરપંચે કરેલા કૃત્યથી સન્નાટો...!

Rajkot : સામાન્ય રીતે કોઇ પણ મુશ્કેલી સમયે કે તકલીફ સમયે સામાન્ય માનવી ઇશ્વરના શરણે જાય છે અને પરમાત્માને તકલીફો દુર કરવા માટે યાચના કરે છે પણ જ્યારે તેને જોઇતું પરિણામ ના મળે ત્યારે તે નિરાશ થઇ જાય છે. ક્યારેક...
rajkot   જીયાણાના પૂર્વ સરપંચે કરેલા કૃત્યથી સન્નાટો

Rajkot : સામાન્ય રીતે કોઇ પણ મુશ્કેલી સમયે કે તકલીફ સમયે સામાન્ય માનવી ઇશ્વરના શરણે જાય છે અને પરમાત્માને તકલીફો દુર કરવા માટે યાચના કરે છે પણ જ્યારે તેને જોઇતું પરિણામ ના મળે ત્યારે તે નિરાશ થઇ જાય છે. ક્યારેક તે ડિપ્રેશનમાં પણ જતો રહે છે. રાજકોટ જિલ્લાના જીયાણા (Rajkot) ગામમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે જ્યાં ભગવાનથી નારાજ થયેલા ગામના પૂર્વ સરપંચે ગામના ત્રણ મંદિરને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

Advertisement

પૂજા પાઠ કર્યા પછી પણ પરિસ્થિતિના સુધરતાં આગ લગાડી

રાજકોટના જીયાણા ગામમાં અનોખો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં ભગવાનથી નારાજ થઈ ગામના માજી સરપંચ દ્વારા ગામના ત્રણ મંદિરને આગ ચાંપવામાં આવી છે. પૂજા પાઠ કર્યા પછી પણ પરિસ્થિતિના સુધરતાં તેણે આખરે ભગવાનના મંદિરને જ આગ ચાંપી દીધી હતી.

Advertisement

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ

પોલીસે આગ ચાંપનારા પૂર્વ સરપંચે અરવિંદ સરવૈયાને સકંજામાં લીધો છે. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે ગામમાં ચર્ચા થઇ રહી હતી કે કેટલાક અસામાજિક તત્વોએ આ મંદિરો સળગાવ્યા છે. પણ ત્યારબાદ આ ઘટના બહાર આવી હતી. ગામના ત્રણ મંદિરને આગ ચાંપવામાં આવતાં લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને આગ લગાડનારા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરાઇ હતી. એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Advertisement

આ પણ વાંચો----- Gujarat : આજે 1 વાગ્યા સુધી ગુજરાતમાં ભારે…!

આ પણ વાંચો----- Gujarat : રાજ્યભરમાં માવઠાનો માર, ત્રણના મોત, 270 ગામમાં વીજળી ગુલ

આ પણ વાંચો----- Jamnagar : જાણીતી શાળામાં બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે કર્યાં શારીરિક અડપલાં, પછી આપી આ ધમકી

આ પણ વાંચો---- IT Raid : સુરતના એશ્વર્યા ગ્રૂપ સહિતના સ્થળો પર 5 દિવસ બાદ તપાસ પૂર્ણ, 400 કરોડના દસ્તાવેજો મળ્યા!

Tags :
Advertisement

.