Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tarabh Valinath Temple : આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ

Tarabh Valinath Temple : તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ...
tarabh valinath temple   આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ

Tarabh Valinath Temple : તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ પ્રયાસ કર્યા હતા. તરભ વાળીનાથ મંદિર ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભક્તો ભોળાનાથનો પ્રસાદ લઇ શકે તે માટે આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ કરાયું છે.

Advertisement

ભોજનશાળામાં એક સાથે 5,000 થી વધુ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી શકશે.

તરભ વાળીનાથ ધામ ખાતે 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન માટે પધારશે.આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે 'જ્યાં મળે ટુકડો ત્યાં હરિ ઢુકડો" તરભ વાળીનાથ મંદિર ખાતે ભવ્યાતીભવ્ય સુંદર ભોજન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભોજનશાળામાં એક સાથે 5,000 થી વધુ ભક્તો દેવાધી દેવ મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુંદર મજાની નવીન ભોજન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Advertisement

આધુનિક ઢબે આ ભોજનશાળાનું નિર્માણ

આ ભોજનશાળામાં ભક્તોનો દાનનો અવિરત સહયોગ મળતા એકદમ અતિ આધુનિક ઢબે આ ભોજનશાળાનું નિર્માણ થયું છે. આમ તો આ મંદિરની સ્થાપના દિવસથી અન્નક્ષેત્ર સદૈવ ચાલુ જ હતું પરંતુ ભક્તોનો અવિરત ઘસારો જોઈને શ્રી વાળીનાથ મહાદેવ સંસ્થા દ્વારા ભક્તોની સુવિધામાં કોઈ અગવડ ન પડે તેમાં ધ્યાનમાં રાખી નવીન ભોજન ભોજન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Advertisement

ભક્તોના આર્થિક સહયોગથી ભોજનશાળા તૈયાર

તરભ વાળીનાથ મહાદેવ ખાતે 16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શનનો લાભ લેશે. ભક્તો માટે વિશાળ ભોજનશાળાનું નિર્માણ કરાયું છે. એક સાથે 5000 થી વધુ ભક્તો પ્રસાદ લઈ શકે તેવી ભોજન શાળાનું નિર્માણ થયું છે. આ ભોજનશાળા કાયમી ધોરણે ભક્તોની સુવિધા માટે બનાવાઇ છે. ભક્તોના આર્થિક સહયોગથી ભોજનશાળા તૈયાર થઇ છે.

આ પણ વાંચો----YAGNA SHALA : અતિ રુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.