ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે મોકલી ચંદ્રની વધુ કેટલીક તસવીરો, 23 તારીખે સાંજે 6 વાગ્યેને 4 મિનિટે ચંદ્રની સપાટી પર ઉતરશે
ભારતનું ચંદ્રયાન-3 સતત ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ભારતની સાથે સાથે આખી દુનિયાની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર કેન્દ્રિત છે કારણ કે હવે ચંદ્ર પર ઉતરવાને બે દિવસ બાકી છે. આ પહેલા ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો ચંદ્રની તસ્વીરો બતાવી ચૂકી છે. એકવાર ફરીથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની કેટલીક તસવીરો મોકલી છે, જેને ઈસરોએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. ઈસરોએ ટ્વિટ કર્યું કે વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો મોકલવામાં આવી છે. લેન્ડરમાં લગાવવામાં આવેલો કેમેરો લેન્ડિંગ દરમિયાન પથ્થરો અને ઊંડા ખાઈ વિશે માહિતી આપતો રહે છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ રવિવારે જણાવ્યું હતું કે તેમણે ચંદ્રયાન-3 મિશનના 'લેન્ડર મોડ્યુલ' (LM)ને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં થોડું નીચું ઈન્જેક્ટ કર્યું છે અને તે હવે 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરવાની સંભાવના છે.. સ્પેસ એજન્સીએ કહ્યું કે પ્રસ્તાવિત 'સોફ્ટ લેન્ડિંગ' પહેલા લેન્ડર મોડ્યુલનું આંતરિક પરીક્ષણ કરવામાં આવશે. ઈસરોએ જણાવ્યું હતું કે લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી અપેક્ષા છે. આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે.
Chandrayaan-3 Mission:
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB
— ISRO (@isro) August 21, 2023
ISROએ રવિવારે વહેલી સવારે ટવીટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'લેન્ડર મોડ્યુલ બીજા અને અંતિમ ડિબૂસ્ટિંગ (પ્રક્રિયાને ધીમી કરવાની) કામગીરીમાં સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં વધુ નીચે ઉતરી ગયું છે. મોડ્યુલ હવે આંતરિક પરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થશે અને નિયુક્ત લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોશે.ઇસરો અનુસાર, ભારત ચંદ્રયાન-3 મિશન દ્વારા અવકાશ સંશોધનમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સિદ્ધિ ભારતીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને ઉદ્યોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે અને અવકાશ સંશોધનમાં દેશની પ્રગતિ દર્શાવે છે.
બહુપ્રતિક્ષિત ઇવેન્ટ 23 ઓગસ્ટના રોજ ટેલિવિઝન પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, ISRO ની વેબસાઇટ, તેની YouTube ચેનલ, ISRO નું Facebook પેજ અને DD (દૂરદર્શન) નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર સાંજે 5:27 વાગ્યે શરૂ થશે. ISROએ કહ્યું, "ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ એ એક ઐતિહાસિક ક્ષણ છે જે માત્ર જિજ્ઞાસા જ નહીં, પણ આપણા યુવાનોના મનમાં શોધખોળની ભાવના પણ જગાડશે. આના પ્રકાશમાં ISROએ કહ્યું કે સમગ્ર દેશમાં તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે તેને સક્રિયપણે પ્રમોટ કરવા માટે દેશને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ચંદ્રયાન-3ના 'સોફ્ટ લેન્ડિંગ'નું જીવંત પ્રસારણ કેમ્પસમાં આયોજિત કરવામાં આવશે.