'તમે તપાસ કેમ નથી ઈચ્છતા', હાઈકોર્ટે અતુલ સુભાષની પત્ની નિકિતાને પૂછ્યો સવાલ અને આપ્યો મોટો ઝટકો
- અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં નિકિતા સિંઘાનિયાની મુસીબતો વધી
- કર્ણાટક હાઈકોર્ટે નિકિતાને મોટો ઝટકો આપ્યો છે
- આત્મહત્યા માટે ઉશ્કેરણી હેઠળ કેસ નોંધવા માટે તમામ પુરાવા FIRમાં હાજર
Atul Subhash Case: અતુલ સુભાષે તેની પત્ની નિકિતા સિંઘાનિયા પર તેને હેરાન કરવાનો અને છૂટાછેડા માટે 3 કરોડ રૂપિયાની માંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. હવે નિકિતા સિંઘાનિયાને આ મામલે કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
અતુલ સુભાષ આત્મહત્યા કેસ
બેંગલુરુના ટેક એક્સપર્ટ અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં નિકિતા સિંઘાનિયાની મુસીબતો હજુ સમાપ્ત થઈ નથી. વાસ્તવમાં કર્ણાટક હાઈકોર્ટે નિકિતાને મોટો ઝટકો આપ્યો અને સોમવારે FIR રદ કરવાની તેની અરજી ફગાવી દીધી હતી. બેંગલુરુમાં એક ઓટોમોબાઈલ કંપનીના કર્મચારી સુભાષે તેની પત્ની નિકિતા સિંઘાનિયા પર તેને હેરાન કરવાનો અને છૂટાછેડા માટે 3 કરોડ રૂપિયાની માંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ તમામ કારણોને ટાંકીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. હવે આ કેસમાં જસ્ટિસ એસઆર કૃષ્ણ કુમારની અધ્યક્ષતાવાળી સિંગલ બેન્ચે મૌખિક રીતે આદેશ આપ્યો છે.
હાઈકોર્ટની બેન્ચે કહ્યું....
સુભાષની પત્નીની માગણીને ફગાવી દેતાં હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, આત્મહત્યા માટે ઉશ્કેરણી હેઠળ કેસ નોંધવા માટે તમામ પુરાવા FIRમાં હાજર છે. ખંડપીઠે નિકિતા સિંઘાનિયાને પૂછ્યું, 'બેંચ બીજું શું તપાસ કરી શકે? ફરિયાદમાં પ્રથમ દ્રષ્ટીએ ગુનાના તત્વો મળી આવ્યા છે. તમે કેમ તપાસ કરાવવા નથી માંગતા?'
નિકિતા સિંઘાનિયાના વકીલે શું કહ્યું?
નિકિતા સિંઘાનિયાના વકીલે કોર્ટને જણાવ્યું કે, આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલામાં FIR નોંધવાની ફરિયાદમાં કોઈ તથ્ય બહાર આવ્યું નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અતુલ સુભાષે તેની પત્ની અને પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવેલા કોઈ પગલાંનો ઉલ્લેખ કર્યો નથી, જેના કારણે તેણે આત્મહત્યા કરવી પડી. વકીલે વધુમાં દલીલ કરી હતી કે, અરજદારને કાનૂની સહાય મેળવવાનો અધિકાર છે અને માત્ર અતુલ સુભાષ સામે ફરિયાદ દાખલ કરવા માટે તેની ધરપકડ કરી શકાય નહીં. કોર્ટે આ કેસમાં અન્ય પક્ષકારોને નોટિસ જારી કરીને વાંધો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પ્રોસિક્યુશનને તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સામગ્રી રજૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
નિકિતા અને પરિવારને કોર્ટમાંથી જામીન મળી ગયા
અગાઉ, 4 જાન્યુઆરીએ, બેંગલુરુની કોર્ટે અતુલ સુભાષની પત્ની નિકિતા અને સાસરિયાઓને જામીન આપ્યા હતા. અતુલ સુભાષના પરિવારે કહ્યું છે કે, કોર્ટના આદેશના પેપર મળ્યા બાદ તેઓ કર્ણાટક હાઈકોર્ટમાં નિર્ણય સામે અપીલ કરશે.
પવન કુમાર મોદીએ શું કહ્યું?
બીજી તરફ અતુલ સુભાષના પિતા પવન કુમાર મોદીએ કહ્યું કે, પરિવાર તેમના પૌત્રની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેણે કહ્યું, 'જો કોર્ટ અતુલની પત્નીને જામીન આપે છે, તો તે બાળક પર હુમલો કરી શકે છે અને તેનો જીવ જોખમમાં મૂકી શકે છે. જો તે મારા પુત્રને આત્મહત્યા કરવા દબાણ કરી શકે છે, તો તે બાળક સાથે પણ આવું કરી શકે છે. તેમણે કહ્યું, 'મારો પૌત્ર તેના માટે એટીએમ હતો. તે તેની સંભાળ રાખવાના બહાને પૈસા મેળવતી હતી. તેણે હાઈકોર્ટમાં રૂ. 20,000 થી રૂ. 40,000ની માંગણી કરી હતી. તેણે 80,000 રૂપિયાની માંગણી કરી. આ પછી પણ તે વધુ પૈસાની માંગ કરતી રહી. તેથી, અમે બાળકની કસ્ટડી માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે, કારણ કે તે અમારી પાસે સુરક્ષિત છે.
આ પણ વાંચો : 'CM આતિશીની થશે ધરપકડ, મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડશે', અરવિંદ કેજરીવાલનો મોટો દાવો