Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Wayanad : પ્રિયંકા ગાંધીએ પહેલીવાર કોઈ ચૂંટણી માટે નોંધાવી ઉમેદવારી

પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડમાંથી નોંધાવી ઉમેદવારી વાયનાડ પેટાચૂંટણી: પ્રિયંકા ગાંધી પ્રથમવાર ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી વાડ્રાનો વાયનાડમાં રોડ શો અને ઉમેદવારી ફાઈલ રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધી વાડ્રાનો વાયનાડમાં પ્રવેશ વાયનાડમાં ગાંધી પરિવારનું કોંગ્રેસ માટે પ્રચાર Priyanka Gandhi nomination...
wayanad   પ્રિયંકા ગાંધીએ પહેલીવાર કોઈ ચૂંટણી માટે નોંધાવી ઉમેદવારી
Advertisement
  • પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડમાંથી નોંધાવી ઉમેદવારી
  • વાયનાડ પેટાચૂંટણી: પ્રિયંકા ગાંધી પ્રથમવાર ચૂંટણી લડશે
  • પ્રિયંકા ગાંધી વાડ્રાનો વાયનાડમાં રોડ શો અને ઉમેદવારી ફાઈલ
  • રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધી વાડ્રાનો વાયનાડમાં પ્રવેશ
  • વાયનાડમાં ગાંધી પરિવારનું કોંગ્રેસ માટે પ્રચાર

Priyanka Gandhi nomination : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે રોડ શો બાદ વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ સીટ ખાલી પડી હતી. ઉમેદવારી નોંધાવતા સમયે પ્રિયંકા ગાધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તેમની માતા સોનિયા ગાધી અને રાહુલ ગાંધી હાજર હતા. અહીં સૌથી મોટી વાત જણાવી દઇએ કે, પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ પહેલીવાર કોઈ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.

પ્રિયંકા ગાંધીએ વાયનાડ સીટ પરથી નોંધાવી ઉમેદવારી

વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ 2 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. લાંબો રોડ શો કર્યો હતો. સોનિયા ગાંધી, રાહુલ ગાંધીએ પણ રોડ શોમાં ભાગ લીધો હતો. કાલપેટ્ટા બસ સ્ટેન્ડથી સવારે 11 વાગે રોડ શો શરૂ થયો હતો. આ પછી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી (Priyanka Gandhi and Rahul Gandhi) એ જનસભાને સંબોધી હતી. ઉમેદવારી નોંધાવતા પહેલા જાહેર સભાને સંબોધતા પ્રિયંકાએ કહ્યું કે, તે છેલ્લા 35 વર્ષથી અલગ અલગ ચૂંટણીમાં પ્રચાર કરી રહી છે. આ પહેલીવાર છે જ્યારે હું મારા માટે વોટ માંગી રહ્યો છું. તે ખૂબ જ અલગ લાગણી છે. પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે જ્યારે હું માત્ર 17 વર્ષની હતી ત્યારે હું મારા પિતા માટે પ્રચાર કરવા ગઈ હતી. આ ઘટનાને 35 વર્ષ થઈ ગયા છે. જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી ગઈકાલે જ નામાંકન માટે વાયનાડ પહોંચ્યા હતા.

Advertisement

Advertisement

ભાજપે સવાલો ઉઠાવ્યા હતા

ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ વાયનાડ પેટાચૂંટણીને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ વાયનાડની જનતાની માફી માંગવી જોઈએ, કારણ કે તેમણે અહીંના લોકોનો બેકઅપ તરીકે ઉપયોગ કર્યો છે. જ્યારે અમેઠીએ તેમને નકારી કાઢ્યા ત્યારે વાયનાડે તેમને સ્વીકાર્યા હતા. તેમણે વાયનાડના લોકોને જાણ કર્યા વિના બીજી બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમને લાગે છે કે તે ફેમિલી એસ્ટેટ અથવા પ્રાઈવેટ લિમિટેડ કંપની છે.

આ પણ વાંચો:  Maharashtra Assembly Election 2024 : અજિત પવારની NCPએ જાહેર કરી 38 ઉમેદવારોની યાદી, જાણો કોણ કઈ બેઠક પરથી લડશે

Tags :
Advertisement

.

×