Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Uttar Pradesh : બદલાઈ ગયા 8 રેલવે સ્ટેશનના નામ, જાણો શું છે કારણ

ઉત્તર પ્રદેશમાં રેલવે સ્ટેશનોના નવા નામ સ્મૃતિ ઈરાનીની કરી હતી માંગ કુલ 8 રેલવે સ્ટેશનના નામ બદલાયા UP Railway Stations Name Change : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા એકવાર ફરી રેલવે...
03:54 PM Aug 28, 2024 IST | Hardik Shah
UP Railway Stations Name Change

UP Railway Stations Name Change : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા એકવાર ફરી રેલવે સ્ટેશનો (Railway Station) ના નામ બદલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, કુલ 8 રેલવે સ્ટેશનો છે કે જેમના નામ બદલવામાં આવ્યા છે. આ તમામ સ્ટેશનો લખનૌ ડિવિઝનની અંદર આવે છે અને તેમના નવા નામ સંતો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્થાનિક આશ્રમોના નામ પર આધારિત છે.

ઉત્તર રેલવે (North Railway) દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, કાસિમપુર હોલ્ટ હવે જૈસ સિટી તરીકે ઓળખાશે. અન્ય નામમાં જૈસને ગુરુ ગોરખનાથ ધામ, મિસરૌલીને મા કાલિકન ધામ, બાનીને સ્વામી પરમહંસ, નિહાલગઢને મહારાજા બિજલી પાસી, અકબરગંજને મા અહોર્વ ભવાની ધામ, વારિસગંજને અમર શહીદ ભાલે સુલતાન, અને ફુરસતગંજને તપેશ્વરનાથ તરીકે ઓળખાવવામાં આવશે.

નામ બદલવા પાછળનું કારણ

રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કાસિમપુર હોલ્ટ રેલવે સ્ટેશનનું નામ કાસિમપુર ગામના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે સ્ટેશનથી ઘણુ દૂર છે. એટલા માટે તેનું નામ જૈસ સિટી રાખવાની વિનંતી કરવામાં આવી હતી. જૈસ રેલવે સ્ટેશન નજીક જ મુખ્ય ગુરુ ગોરખનાથ ધામ આશ્રમ હોવાથી, આ સ્ટેશનનું નામ બદલીને આશ્રમના નામ પર રાખવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

આ સ્ટેશનોના નામ બદલાયા છે

મિશ્રૌલી, બાની, અકબરગંજ અને ફુરસતગંજ રેલ્વે સ્ટેશનોની નજીક દેવી કાલીના અને ભગવાન શિવના મંદિરો છે, તેથી તેમનાં નામ અનુરૂપ: મા કાલીકણ ધામ, સ્વામી પરમહંસ, મા અહોર્વ ભવાની ધામ અને તપેશ્વરનાથ ધામ રાખવામાં આવ્યા છે. નિહાલગઢ રેલ્વે સ્ટેશન પાસી સમુદાયનો વિસ્તાર છે, જેમણે મોટાભાગે પ્લમ ખેતી કરેલી છે, તેથી તેનું નામ મહારાજા બિજલી પાસી રાખવામાં આવ્યું છે. વારિસગંજ રેલવે સ્ટેશન 1857માં બ્રિટિશ રાજ સામે લડનાર ઠાકુર ભાલે સુલતાનના નામ પર ઓળખાય છે, એટલે તે સ્ટેશનનું નામ બદલીને અમર શહીદ ભાલે સુલતાન રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે.

સ્મૃતિ ઈરાનીની માગ

આ નવાં નામોમાં ફેરફાર કરવાની માંગ અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવી હતી. તેમણે માર્ચમાં સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી, જે બાદ આ નામો બદલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  બાંગ્લાદેશનું ઉદાહરણ આપી Yogi Adityanath એ દેશને આપ્યો મોટો સંદેશ, જાણો શું કહ્યું

Tags :
Gujarat FirstHardik ShahHistorical Names Railway Stations Uttar PradeshIndian RailwaysIRCTCName ChangeNames Changed Railway Stations UPNew Names for UP Railway StationsNorth Railway Station RenamingNorth Railway Stations New NamesRailway Stations Name Change Uttar PradeshSmriti Irani Railway Station NamesSmriti Irani Request Railway Stations RenamingUPUP Railway Stations Name ChangeUttar PradeshUttar Pradesh Railway Station UpdatesUttar Pradesh Railway Stations Name ChangeYogi Adityanath
Next Article