Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP By Election : ઉત્તર પ્રદેશની 10 માંથી 9 બેઠકો માટે જ કેમ પેટાચૂંટણીની થઇ જાહેરાત?

મિલ્કીપુર પેટાચૂંટણી અટકી: કોર્ટમાં અરજી! યુપીમાં 9 બેઠકો પર પેટાચૂંટણી મિલ્કીપુરમાં પેટાચૂંટણીનો મામલો કોર્ટમાં, 9 બેઠકો માટે 13 નવેમ્બરે મતદાન UP By Election : ચૂંટણી પંચે (The Election Commission) આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) ની તારીખોની...
up by election   ઉત્તર પ્રદેશની 10 માંથી 9 બેઠકો માટે જ કેમ પેટાચૂંટણીની થઇ જાહેરાત
  • મિલ્કીપુર પેટાચૂંટણી અટકી: કોર્ટમાં અરજી!
  • યુપીમાં 9 બેઠકો પર પેટાચૂંટણી
  • મિલ્કીપુરમાં પેટાચૂંટણીનો મામલો કોર્ટમાં,
  • 9 બેઠકો માટે 13 નવેમ્બરે મતદાન

UP By Election : ચૂંટણી પંચે (The Election Commission) આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) ની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે ઉત્તર પ્રદેશની 9 વિધાનસભાની બેઠકો માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જોકે, અહીં 10 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થવાની હતી પણ મિલ્કીપુર બેઠક પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. શું છે તે પાછળનું કારણ આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

મિલ્કીપુરમાં પેટાચૂંટણી કેમ અટકાવવામાં આવી?

ચૂંટણી પંચે મંગળવારે ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી માટે 13 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. UP ની આ તમામ 9 ખાલી બેઠકો પર 13 નવેમ્બરે ચૂંટણી યોજાશે. UP ની બીજી ખાલી પડેલી અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જે ચોંકાવનારું છે. મિલ્કીપુર બેઠક પર પેટાચૂંટણી ક્યારે થશે? આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જણાવી દઇએ કે, અયોધ્યાની મિલ્કીપુર સીટ પર પેટાચૂંટણી અચાનક કેમ અટકાવી દેવામાં આવી? ચૂંટણી પંચે પેટાચૂંટણીની તારીખ કેમ જાહેર ન કરી? જ્યારે રાજીવ કુમારને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જે સીટો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી તે સીટો માટે કોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરવામાં આવી છે. એટલે કે મામલો કોર્ટમાં પહોંચ્યો છે. મિલ્કીપુરને છોડીને બાકીની 9 બેઠકો પર 13 નવેમ્બરે મતદાન થશે. યુપી પેટાચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.

UP ની આ 9 ખાલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

  • કાનપુરની સીસામાઉ બેઠક
  • પ્રયાગરાજની ફુલપુર બેઠક
  • મૈનપુરીની કરહાલ બેઠક
  • મિર્ઝાપુરની મજવા બેઠક
  • આંબેડકર નગરની કટેહરી બેઠક
  • ગાઝિયાબાદ સદર બેઠક
  • અલીગઢની ખેર બેઠક
  • મુરાદાબાદની કુંડારકી બેઠક
  • મુઝફ્ફરનગરની મીરાપુર બેઠક

કઇ બેઠક ખાલી પડી?

SP ના વડા અખિલેશ યાદવ કરહાલ સીટથી ધારાસભ્ય હતા, તેમણે કન્નૌજથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાજીનામું આપ્યું હતું. કાનપુરની સીસામાઉ સીટ પરથી SP ધારાસભ્ય ઈરફાન સોલંકીને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. પ્રયાગરાજની ફુલપુર બેઠક ભાજપ પાસે હતી, તેમના ધારાસભ્ય પ્રવીણ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા છે, ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું છે. આંબેડકર નગરથી કટેહારી સીટના ધારાસભ્ય લાલજી વર્મા, અયોધ્યાથી મિલ્કીપુર સીટના ધારાસભ્ય અવધેશ પ્રસાદ, સંભલથી કુંડારકી સીટના ધારાસભ્ય ઝિયાઉર રહેમાન બાર્કે, હાથરસથી અલીગઢની ખેર સીટના ધારાસભ્ય અનુપ પ્રધાન, ગાઝિયાબાદના ધારાસભ્ય અતુલ ગર્ગ, સદર સીટના ધારાસભ્ય અતુલ ગર્ગ. મઝવાનથી ચંદન ચૌહાણ, ભદોહી અને મીરાપુરના ધારાસભ્ય બિજનૌરથી સાંસદ તરીકે ચૂંટાયા છે.

Advertisement

આ પણ વાંચો:  મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી

Advertisement
Tags :
Advertisement

.