સેનાની તાકત વધશે! ભારતે મધ્યમ અંતરની Agni-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
- ભારતે મધ્યમ અંતરની Agni-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
- ઓડિશાના ચાંદીપુરમાંથી અગ્નિ-4 મિસાઈલનો પ્રક્ષેપણ
- ભારતનું અગ્નિ-4 મિસાઈલ ટેસ્ટ સફળ
Agni-4 launch : ભારતે આજે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ 4 (medium-range ballistic missile Agni 4) નું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલને ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી લોન્ચ કરવામાં આવી હતી. આ મિસાઈલ પરીક્ષણ દરમિયાન તેના તમામ માપદંડો પર સફળ રહી હતી.
ભારતીય સેનાની ફાયર પાવર વધશે
સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના જણાવ્યા અનુસાર, તે એક નિયમિત તાલીમ પ્રક્ષેપણ હતું જેમાં તમામ ઓપરેશનલ પરિમાણો તપાસવામાં આવ્યા હતા. સંરક્ષણ અને સંશોધન વિકાસ સંગઠન (DRDO) એ પણ 2 વર્ષ પહેલા 6 જૂન 2022ના રોજ તેનું પરીક્ષણ કર્યું હતું. આ ખૂબ જ શક્તિશાળી મિસાઈલ છે. આનાથી ભારતીય સેનાની ફાયર પાવરમાં નોંધપાત્ર વધારો થશે. આ મિસાઈલ દુશ્મન દેશોને સિક્સર પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. અગાઉ 4 એપ્રિલે ભારતે નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સહયોગથી સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) દ્વારા સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે ભારત દ્વારા વિકસિત બેલિસ્ટિક મિસાઈલ છે. આ લાંબા અંતરના પરમાણુ હથિયારો લઇ જવામાં સક્ષમ અને સપાટીથી સપાટી પર હુમલો કરનારી બેલેસ્ટિક મિસાઈલ છે.
A successful launch of an Intermediate Range Ballistic Missile, Agni-4, was carried out from the Integrated Test Range in Chandipur, Odisha on September 06, 2024. The launch successfully validated all operational and technical parameters. It was conducted under the aegis of the… pic.twitter.com/mrTXbFkS5B
— ANI (@ANI) September 6, 2024
આ મિસાઈલનું વજન 17000 કિલોગ્રામ છે
જણાવી દઈએ કે, આ મિસાઈલનું વજન માત્ર 17 હજાર કિલોગ્રામ છે અને તેની લંબાઈ 66 ફૂટ છે. આ મિસાઈલ DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ મિસાઈલમાં ત્રણ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરી શકાય છે. જેમાં પરંપરાગત, થર્મોબેરિક અને વ્યૂહાત્મક પરમાણુ હથિયારોનો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, Agni-4 મિસાઈલની સક્રિય રેન્જ 3500 થી 4000 કિલોમીટર છે. જે મહત્તમ 900 કિમીની ઉંચાઈ સુધી સીધી ઉડી શકે છે. જેની ચોકસાઈ 100 મીટર છે, એટલે કે તે હુમલા સમયે 100 મીટરની ત્રિજ્યામાં આવતી દરેક વસ્તુનો નાશ કરી શકે છે. જેના કારણે દુશ્મનોથી બચવું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે.
આ પણ વાંચો: Haryana Assembly Election : કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી કરી જાહેર, વિનેશ ફોગાટને મળી આ બેઠક પરથી ટિકિટ