Pahalgam Terrorist Attack : આતંકનો ખેલ ખતમ થશે! સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, અત્યાર સુધી 6 આતંકીઓના ઘર તોડી પાડ્યા
- ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ
- આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા
- આતંકવાદીઓએ તાલીમ લીધી હતી
Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરો ભારતીય સુરક્ષા દળો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. નવી કાર્યવાહીમાં, ખીણની અંદર સક્રિય આતંકવાદીઓના વધુ બે ઘરો તોડી પાડવામાં આવ્યા છે. જૂન 2023 થી સક્રિય લશ્કર કેડર એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ IED નો ઉપયોગ કરીને ઉડાવી દીધું છે. તે પુલવામાના મુરાનનો રહેવાસી છે.
આવી જ બીજી એક કાર્યવાહીમાં, બે વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયેલા શાહિદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું. પહેલગામ હુમલા પછી, છેલ્લા 48 કલાકમાં કુલ 6 આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા છે.
આતંકવાદીઓના કુલ 5 ઘરોને ઉડાવ્યા
આ ઉપરાંત, ગઈકાલે રાત્રે કુલગામના ક્વિમોહમાં સુરક્ષા દળો દ્વારા 2023 માં લશ્કરમાં જોડાયેલા ઝાકિર ગનીનું ત્રીજું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલા બાદ સક્રિય લશ્કર કેડરના આતંકવાદીઓના કુલ 5 ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે.
- આદિલ ગોજરી (બિજબેહરા)
- આસિફ શેખ (ત્રાલ)
- અહેસાન શેખ (પુલવામા)
- શાહિદ કુટ્ટે (શોપિયા)
- ઝાકીર ગની (કુલગામ)
- હરિસ અહેમદ (પુલવામા)
શુક્રવારે રાત્રે, સુરક્ષા દળોએ કુલગામના ક્વિમોહમાં ઝાકિર ગનીના ઘરને ઉડાવી દીધું, તે 2023 માં લશ્કરમાં જોડાયો હતો. આ સાથે, સુરક્ષા દળોએ બિજબેહરામાં આદિલ થોકરના ઘરને ઉડાવી દીધું. દરમિયાન, ગઈકાલે ત્રાલમાં, સુરક્ષા દળોએ આસિફ શેખના ઘરને ઉડાવી દીધું.
-પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શનમાં
-જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા મોટી કાર્યવાહી
-શોપિયા, પુલવામા, કુલગામમાં એક્શનમાં આવી સેના
-લશ્કર આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા@adgpi #IndianArmy #JammuKashmir #PahalgamAttack #AntiTerrorOperation #Shopian #Pulwama #Kulgam… pic.twitter.com/AG0YEvcBVP— Gujarat First (@GujaratFirst) April 26, 2025
આ પણ વાંચો : Pahalgam Attack : UNSC એ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી, કહ્યું- દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવા જ જોઈએ
પુલવામામાં આતંકવાદીના ઘરને તોડી પાડતા પહેલા, અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં સ્થિત પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન ઠોકરના ઘર પર સુરક્ષા દળોએ બોમ્બમારો કર્યો હતો.
આદિલ ઠોકર ઉર્ફે આદિલ ગુરી તરીકે ઓળખાયેલ આતંકવાદી પર પહેલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલે થયેલા હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવામાં પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. તે જ સમયે, આ હુમલામાં સામેલ બીજા સ્થાનિક આતંકવાદી આસિફ શેખના ત્રાલમાં ઘરને જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુલડોઝર વડે તોડી પાડ્યું હતું. લશ્કરના સૂત્રોએ જણાવ્યું હતું કે, 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ચાર આતંકવાદીઓના એક જૂથે, સ્ટીલની ગોળીઓ, AK-47 રાઇફલ્સથી સજ્જ અને બોડી કેમેરા પહેરેલા, હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા અને ભારતના વિવિધ રાજ્યોમાંથી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા આવ્યા હતા.
આ પણ વાંચો : Pahalgam Attack ના 3 દિવસ બાદ સુપરસ્ટાર રજનીકાંતનું રીએક્શન, કહ્યું, 'દુશ્મનો કાશ્મીરમાં....'
આતંકવાદીઓમાં બે સ્થાનિક લોકો પણ સામેલ હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને સ્થાનિક આતંકવાદીઓની ઓળખ બિજબેહરા નિવાસી આદિલ હુસૈન થોકર અને ત્રાલ નિવાસી આસિફ શેખ તરીકે થઈ છે.
આતંકવાદીઓએ તાલીમ લીધી હતી
લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, આદિલ 2018 માં અટારી-વાઘા સરહદ દ્વારા કાયદેસર રીતે પાકિસ્તાન ગયો હતો. પાકિસ્તાનમાં રોકાણ દરમિયાન, તેણે એક આતંકવાદી છાવણીમાં તાલીમ લીધી અને ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીર પાછો ફર્યો. પહેલગામ હુમલાના કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કેટલાક આતંકવાદીઓ પશ્તુન ભાષામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હતા. જોકે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પણ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમણે કહ્યું કે TRF એ લશ્કર-એ-તૈયબાનું એક ફ્રન્ટ ટેરર ગ્રુપ છે, જેનો ઉપયોગ હુમલાને એક સ્વદેશી જૂથના કાર્ય તરીકે દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Pakistan : બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, IED બ્લાસ્ટમાં 10 પાકિસ્તાની સૈનિકો ઠાર