Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : આતંકી આસિફનું ઘર બ્લાસ્ટથી ઉડાવ્યું, આદિલના ઘર પર બુલડોઝર ચાલ્યું, પહેલગામ હુમલા બાદ કડક કાર્યવાહી

PM મોદીએ પહેલગામ આતંકી હુમલામાં સામેલ આતંકીઓ સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ એક મોટું ઓપરેશન શરૂ કર્યું.
pahalgam terror attack   આતંકી આસિફનું ઘર બ્લાસ્ટથી ઉડાવ્યું  આદિલના ઘર પર બુલડોઝર ચાલ્યું  પહેલગામ હુમલા બાદ કડક કાર્યવાહી
Advertisement
  • સુરક્ષા દળોની મોટી કાર્યવાહી
  • આતંકીના ઘર પર બ્લાસ્ટ કરવામાં આવ્યો
  • અન્ય એક આતંકીના ઘર પર બુલડોઝર કાર્યવાહી

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીર પહેલગામ હુમલાના બે દિવસ બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી સામે આવી છે. હુમલામાં સામેલ આતંકવાદીના ઘર પર બ્લાસ્ટ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આતંકીના ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. બૈસરન ઘાટી આતંકવાદી હુમલામાં આસિફ શેખ અને આદિલની સંડોવણી સામે આવી હતી.

સુરક્ષા દળોની મોટી કાર્યવાહી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોની એક મોટી કાર્યવાહી સામે આવી છે. PM મોદીએ પહેલગામ આતંકી હુમલામાં સામેલ આતંકીઓ સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ એક મોટું ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસ ત્રાલમાં આતંકી આસિફના ઘરે પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તેના ઘરમાં વિસ્ફોટકોનો જથ્થો હતો જેના કારણે વિસ્ફોટ થયો છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદી આદિલના ઘર પર બુલડોઝરથી કાર્યવાહી કરીને તેને તોડી પાડ્યું હતું. તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલા પછી આતંકવાદીઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ સુરક્ષા દળોને પડકાર ફેંકતા જોવા મળ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઘાયલ, 2 પોલીસકર્મીઓને પણ ગોળી વાગી

Advertisement

બંને વીડિયોમાં જોવા મળ્યા હતા

ત્રાલમાં સુરક્ષા દળોએ જે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી છે. તે બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. 22 એપ્રિલના રોજ બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા સાથે સંબંધિત વીડિયોમાં બંને જોવા મળ્યા હતા. આસિફ અને આદિલ સહિત હુમલામાં સામેલ અન્ય આતંકવાદીઓને મારવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકવાદીઓ સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં 2000 લોકોની પૂછપરછ કરી છે. આ સાથે ઘણા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં કુલ 26 લોકો માર્યા ગયા હતા. અનંતનાગના રહેવાસી આદિલ શાહ સિવાય બધા 25 હિન્દુ હતા. ગુરુવારે મોટાભાગના મૃતકોને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

NIA તપાસમાં લાગી

પહેલગામની બૈસરન ખીણમાં લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારનારા આતંકવાદીઓને ખતમ કરવા માટે NIA તપાસમાં લાગી ગઈ છે, ત્યારે ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને શોધવામાં લાગી ગઈ છે. એવું માનવામાં આવે છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓ હજુ પણ આસપાસના વિસ્તારમાં છુપાયેલા છે.

આ પણ વાંચો : Pakistan ની નાપાક હરકત, LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ

Tags :
Advertisement

.

×