Maharashtra : સોલાપુરમાં વંદે ભારત ટ્રેન પર હુમલો, મુસાફરોમાં ભયનો માહોલ, ટ્રેનના કાચ તોડ્યા...
- Maharashtra માં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો
- C-11 કોચની બારી તૂટી, તપાસ ચાલુ
- હાલ આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી
Maharashtra : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના અટકી રહી નથી. આ ક્રમમાં મહારાષ્ટ્ર (Maharashtra)ના સોલાપુરમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. મુંબઈથી સોલાપુર જતી વંદે ભારત ટ્રેન પર જેઉર રેલ્વે સ્ટેશન નજીક એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યો હતો. જેના કારણે C-11 કોચનો કાચ તૂટી ગયો હતો. હાલ આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. રેલવે અને પ્રશાસન દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં દિલ્હી-ઉના વંદે ભારત ટ્રેનના કોચ પર પથ્થરમારાની ઘટનાઓ બાદ ટ્રેનમાં સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
હિમાચલ જઈ રહેલા વંદે ભારત પર પણ પથ્થરમારો...
જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, જે સ્થળોએ ઘટનાઓ બની છે તે જગ્યાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP)ના દસ કર્મચારીઓને ટ્રેનમાં તૈનાત કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે." જ્યારે નાંગલ અને ઉનાથી બે RPF અને બે GRP ના જવાનો ટ્રેનમાં ચડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે ઉનામાં અલગ-અલગ જગ્યાએ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાંથી કોઈને ઈજા થઈ નથી, પરંતુ ટ્રેનના ઘણા કાચને નુકસાન થયું છે.
આ પણ વાંચો : RSS નો દાવો, ગાંધી અને આંબેડકરએ પણ શાખામાં હાજરી આપી હતી...
અગાઉ પણ આવી ઘટનાઓ બની...
અગાઉ, રેલ્વે પ્રોટેક્શન ફોર્સે છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં તેની 'ટ્રાયલ રન' દરમિયાન દુર્ગ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (મહાસમુંદ)ના નિરીક્ષક પ્રવીણ સિંહ ધાકડે જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યે બાગબહરા રેલવે સ્ટેશન નજીક બની હતી, જ્યારે ટ્રેન 'ટ્રાયલ રન' દરમિયાન વિશાખાપટ્ટનમથી દુર્ગ પરત ફરી રહી હતી. ધાકડે જણાવ્યું કે, ટ્રેન દુર્ગથી 'ટ્રાયલ રન' માટે રવાના થઈ અને રાયપુરમાંથી પસાર થઈને મહાસમુંદ પહોંચી. આ પછી ટ્રેન આગળની મુસાફરી માટે રવાના થઈ. તેમણે કહ્યું કે પાછા ફરતી વખતે, કેટલાક અસામાજિક તત્વોએ બગબહરા નજીક ચાલતી ટ્રેન પર પથ્થરમારો કર્યો, જેના કારણે ત્રણ કોચ C2, C4 અને C9 ની બારીના કાચને નુકસાન થયું. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો : BPSC Protest : ગાંધી મેદાનમાં પ્રદર્શન ગેરકાનૂની? પ્રશાંત કિશોરે ઉઠાવ્યા કાયદા પર સવાલ...