Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Telangana માં SC પેટા કેટેગરીને પણ મળશે અનામત, સુપ્રીમ કોર્ટના નિર્ણયને લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું

તેલંગાણા સરકારે અનુસૂચિત જાતિ (SC) નું પેટા વર્ગીકરણ લાગુ કર્યું છે. આ સાથે તેલંગાણા આ પગલું ભરનાર બીજું રાજ્ય બની ગયું છે. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે આ અંગે નિર્ણય સંભળાવ્યો હતો અને રાજ્યોને આ અંગે પગલાં લેવા જણાવ્યું હતું.
telangana માં sc પેટા કેટેગરીને પણ મળશે અનામત  સુપ્રીમ કોર્ટના નિર્ણયને લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું
Advertisement
  • તેલંગાણા સરકારે અનુસૂચિત જાતિ (SC) નું પેટા વર્ગીકરણ લાગુ કર્યું
  • તેલંગાણા આ પગલું ભરનાર બીજું રાજ્ય બન્યુ
  • સુપ્રીમ કોર્ટે આ અંગે રાજ્યોને પગલાં લેવા જણાવ્યું હતું

Sub-categorization of Scheduled Castes: તેલંગાણા સરકારે અનુસૂચિત જાતિ (SC) નું પેટા-વર્ગીકરણ લાગુ કર્યું છે. હવે આ શ્રેણીમાં આવતા લોકોને પણ અનામતનો લાભ મળી શકશે. આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ કરી હતી. અગાઉ તે હરિયાણામાં પણ લાગુ કરવામાં આવ્યું હતું, અને તેલંગણા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું છે.

સરકારે પહેલાથી જ ન્યાયાધીશ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી હતી, જેણે અનુસૂચિત જાતિઓને ત્રણ મુખ્ય જૂથો - I, II અને III માં વિભાજીત કરવાની ભલામણ કરી હતી. આ પેટા-વર્ગીકરણના અમલીકરણ સાથે, પેટા-વર્ગ હેઠળ આવતા લોકોને હવે સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં 15 ટકા અનામતનો લાભ મળશે.

Advertisement

Advertisement

8 એપ્રિલના રોજ રાજ્યપાલની મંજૂરી મળી

કમિશનની ભલામણોનો અમલ કરીને, તેલંગાણા વિધાનસભાએ પેટા-વર્ગીકરણ કાયદો પસાર કર્યો, જેને 8 એપ્રિલ 2025 ના રોજ રાજ્યપાલની સંમતિ મળી. આ કાયદો 14 એપ્રિલ 2025 ના રોજ તેલંગાણા ગેઝેટમાં પ્રકાશિત થયો છે.

આ પણ વાંચો : તહવ્વુર રાણાને લાગી રહ્યો છે ફાંસીનો ડર, NIA અધિકારીઓને પુછી રહ્યો છે વારંવાર આ પ્રશ્નો

નાયબ સિંહ સૈની અને રેવંત રેડ્ડીએ શું કહ્યું ?

ગયા વર્ષે, હરિયાણા સરકારે નવેમ્બરમાં પણ અનુસૂચિત જાતિ પેટા-વર્ગીકરણ લાગુ કર્યું હતું. વિધાનસભામાં આ નિર્ણયની જાહેરાત કરતા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ આ કરવામાં આવ્યું છે. પેટા-વર્ગીકરણના અમલીકરણ અંગે, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે દલિતોના તમામ વર્ગો માટે સશક્તિકરણ અને તકો સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે એક ગેઝેટ સૂચના બહાર પાડી હતી, જેની પ્રથમ નકલ તેમને ઐતિહાસિક કાર્ય કરતી સમિતિ દ્વારા સોંપવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં પણ સમિતિની રચના કરવામાં આવી

આગામી મહારાષ્ટ્ર ચૂંટણીના સંદર્ભમાં પણ તેલંગાણાના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ, અનુસૂચિત જાતિના પેટા-વર્ગીકરણ માટે એક કમિશનની રચના કરવામાં આવી છે. આ દર્શાવે છે કે ભાજપ આ પગલાને રાષ્ટ્રીય વ્યૂહરચનાનો ભાગ બનાવી શકે છે, જે વિપક્ષના જાતિ-જનગણનાના ફોકસ પર જવાબ આપવાનો પ્રયાસ હોઈ શકે છે.

આ પણ વાંચો : J&K ના પૂંછમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

IRAN: એક બે નહીં પણ ઈરાનમાં આટલા કરોડમાં મળે છે iPhone 16

featured-img
Top News

Ahmedabad : ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

featured-img
સ્પોર્ટ્સ

MLC 2025માં આ 40 વર્ષીય ખેલાડીએ કરી શાનદાર ફટકાબાજી

featured-img
આંતરરાષ્ટ્રીય

Iran Israel War : UNSC માં બધા દેશોની સામે ચીનની ઈઝરાયલને કડક શબ્દોમાં આપી ચેતવણી

featured-img
Top News

Jamnagar વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી, યોગ કરવાથી લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મળે : મૂળુભાઈ બેરા

featured-img
Top News

Bihar: ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી જાહેરાત, વૃદ્ધ-અપંગ અને વિધવા પેન્શનમાં કર્યો ત્રણ ગણો વધારો

×

Live Tv

Trending News

.

×