New Criminal Law Bills : નવા ક્રિમિનલ લૉ બિલ પસાર થતા PM મોદીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું- ગરીબો, વંચિતો માટે..!
લોકસભા અને રાજ્યસભામાં નવા ક્રિમિનલ લૉ બિલ પસાર થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય ન્યાયિક (દ્વિતીય) સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા-2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) અધિનિયમ-2023 બિલ પસાર થવું આપણા દેશના ઇતિહાસમાં એક ઐતિહાસિક પળ છે.
The passage of Bharatiya Nagarik Suraksha Sanhita, 2023, Bharatiya Nyaya Sanhita, 2023 and Bharatiya Sakshya Adhiniyam, 2023 is a watershed moment in our history. These Bills mark the end of colonial-era laws. A new era begins with laws centered on public service and welfare.
— Narendra Modi (@narendramodi) December 21, 2023
'આ પરિવર્તનકારી બિલો સુધારા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બિલ વસાહતી યુગના કાયદાનો અંત દર્શાવે છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય કાયદાઓ સાથે લોકોના નવા યુગની શરૂઆત થતી હોય છે. સુધારા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો આ પરિવર્તનકારી બિલો છે. આ, ટેક્નોલોજી અને ફોરેંસિક વિજ્ઞાન પર ધ્યાન આપવાની સાથે આપણા કાયદા, પોલીસ અને તપાસ એજન્સીઓને આધુનિક બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે, આ બિલો ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને વંચિતોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. સાથે જ આ બિલ સંગઠિત અપરાધ અને આતંકવાદ પર પણ કડક વલણ અપનાવે છે. તેમણે કહ્યું કે, અમે રાજદ્રોહના કાયદા પણ નાબૂદ કર્યા.
आज का दिन देश के लिए ऐतिहासिक दिन है, क्योंकि आज भारत को अपने नए आपराधिक न्याय कानून मिले हैं। इस गौरवपूर्ण क्षण पर सभी भारतवासियों को बधाई। आज संसद में पारित तीनों विधेयक, अंग्रेजों द्वारा लागू किए गए कानूनों की जगह लेंगे और एक स्वदेशी न्याय प्रणाली का दशकों पुराना स्वप्न साकार…
— Amit Shah (@AmitShah) December 21, 2023
અમિત શાહે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે. કારણ કે આજે ભારતને તેના નવા ક્રિમિનલ લૉ ( New Criminal Law ) મળી ગયા છે. આ ગૌરવપૂર્ણ ક્ષણ પર તમામ ભારતીયોને અભિનંદન. આજે સંસદમાં પસાર થયેલા ત્રણ બિલ એ વર્ષો પહેલા બ્રિટિશરો દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓનું સ્થાન લેશે અને સ્વદેશી ન્યાય પ્રણાલીના દાયકાઓ જૂના સ્વપ્નને સાકાર કરશે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેકને સાથે રાખવાના સંકલ્પથી પ્રેરિત આ કાયદા, નાગરિકોના અધિકારોને સર્વોપરિ રાખે છે અને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપશે. નવા ભારતની આ નવી ન્યાય પ્રણાલી, અત્યાધુનિક ટેક્નોલોજીથી સશક્ત છે, જે દેશવાસીઓને પારદર્શક અને ઝડપી ન્યાય આપવા માટે કામ કરશે.
આ પણ વાંચો - રાજ્યસભામાં 3 નવા ક્રિમિનલ લૉ બિલને મંજૂરી, અમિત શાહે કહ્યું – ‘તારીખ પર તારીખનો જમાનો વિસરાઈ જશે…’