Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

5 રૂપિયાના કુરકુરે માટે હત્યા ! જીગરી મિત્રની છરીના ઘા મારીને હત્યા

Bihar News : બિહારના ગોપાલગંજમાં પોલીસમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિગરી દોસ્તો વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ વિવાદ એટલો વકર્યો હતો. પોલીસ પર સમગ્ર મામલો ઉકેલવા માટે ખુબ જ દબાણ હતું. જે અંગે લોકો પ્રદર્શન પણ કરી...
10:58 PM Aug 06, 2024 IST | KRUTARTH JOSHI
Death in bihar

Bihar News : બિહારના ગોપાલગંજમાં પોલીસમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિગરી દોસ્તો વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ વિવાદ એટલો વકર્યો હતો. પોલીસ પર સમગ્ર મામલો ઉકેલવા માટે ખુબ જ દબાણ હતું. જે અંગે લોકો પ્રદર્શન પણ કરી ચુક્યા હતા. હવે પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

વાંચો : Surat: શું હીરા ઉદ્યોગમાં મંદી આવી? સુરતની એક કંપનીએ 50,000 કર્મચારીઓને...

બિહારમાં 5 રૂપિયાના કુરકુરે માટે હત્યા

બિહારના ગોપાલગંજમાં યુવકની હત્યાના મામલે પોલીસે ચોંકવાનારો ખુલાસો કર્યો છે. ઓફિસર કોલોની પાસે ચાકુથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે 24 વર્ષના સાવનની હત્યા મામલે બે કિશોર યુવકને અરેસ્ટ કરી દેવામાં આવ્યા છે. કિશોર સાવન કુમારનો જિગરી દોસ્ત હતો. હત્યા પાછળ 5 રૂપિયાના માત્ર કુરકુરેના પેકેટ અંગે થયેલા વિવાદને માનવામાં આવે છે. આ વિવાદ એટલો વકરી ગયો કે, આરોપીએ જિગરી દોસ્તની ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી હતી.

વાંચો : વધુ એક ઈઝરાયેલના હુમલામાં Hezbollah ના 5 સૈનિકો માર્યા ગયા

દુર્ઘટના બાદ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ

દુર્ઘટના બાદ સ્થાનિક લોકોને ભારે ગુસ્સો થયો હતો. તેમણે હજિયાપુરની નજીક નેશનલ હાઇવે 27 ના રોજ જામ કરી દીધો હતો. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને લોકોને કાર્યવાહીનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બીજી તરફ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા હતા. ગોપાલગંજ સદર એસડીપીઓ પ્રાંજલે હત્યાની પૃષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, બ્લાઇન્ડ મર્ડરને ઉકેલવા માટે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. એક ફુટેજમાં પોલીસને મહત્વનો પુરાવો મળ્યો છે.

વાંચો : ઘટસ્ફોટ! લંડનમાં ISI એ રચ્યું હસીના સરકારને ઉથલાવવાનું ષડયંત્ર

પોલીસને લોહીયાખ કપડા જપ્ત કર્યા

તપાસ દરમિયાન સામે આવ્યું કે, સાવનની હત્યા તેના જ કિશોર જિગરી મિત્રએ કરી છે. ત્યાર બાદ મિત્રોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પુછપરછમાં આરોપીએ કબૂલ કર્યું કે, 5 રૂપિયાના કુરકુરેના પેકેટ માટે વિવાદ થયો હતો. વિવાદ એટલો વકરી ગયો કે, તેની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું કે, દુર્ઘટનામાં ઉપયોગમાં લેવાયેલું ચાકુ જપ્ત કરી લેવાયું છે. પોલીસે આરોપીના લોહીથી લથબથ કપડા પણ જપ્ત કર્યા છે. હત્યાકાંડમાં કોઇ અન્ય સંડોવાયેલું નથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વાંચો : Ahmedabad: AMC માં અધિકારીઓએ જમાવ્યો છે અડ્ડો! કેમ નથી કરવામાં આવી રહીં બદલી?

Tags :
Bihar Crime NewsGopalganjGujarat FirstGujarati NewsGujarati Samacharinside storylatest newsliquor disputemurder caseSawanSpeed Newsstabbed with knifeTrending News
Next Article