Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karnataka માં ઉપદ્રવીઓએ ડૉ. આંબેડકર અને ટીપૂ સુલ્તાનની તસ્વીરોને પહોંચાડ્યું નુકસાન

Karnataka Vandalisation: કેટલાક બદમાશોએ કર્ણાટકમાં એક સરકારી શાળામાં તોડફોડ કરી અને ડૉ. આંબેડકર તેમજ ટીપુ સુલતાનના દિવાલ ચિત્રોને નુકસાન પહોંચાડ્યું.
karnataka માં ઉપદ્રવીઓએ ડૉ  આંબેડકર અને ટીપૂ સુલ્તાનની તસ્વીરોને પહોંચાડ્યું નુકસાન
Advertisement
  • કર્ણાટકની સરકારી શાળામાં ઘટના બનતા વાતાવરણ તંગ
  • બી.આર આંબેડકર અને ટિપૂ સુલ્તાનની તસ્વીરોને નુકસાન
  • સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

Karnataka Vandalisation: કેટલાક બદમાશોએ કર્ણાટકમાં એક સરકારી શાળામાં તોડફોડ કરી અને ડૉ. આંબેડકર તેમજ ટીપુ સુલતાનના દિવાલ ચિત્રોને નુકસાન પહોંચાડ્યું.

Advertisement

Vijayapura Vandalisation : કર્ણાટકના વિજયપુરા જિલ્લાના તાલિકોટા તાલુકાના ચબાનુર ગામમાં આવેલી સરકારી શાળામાં બદમાશોએ ડૉ. બી.આર. વિદ્યાપીઠ શાળામાં તોડફોડ કરી. આંબેડકર અને ટીપુ સુલતાનના ચિત્રો પર કાદવ છાંટવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. "અમે કેસ નોંધ્યો છે અને ગુનેગારોની શોધ શરૂ કરી છે. બીએનએસની કલમ 298 અને 353 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે," વિજયપુરાના એસપી લક્ષ્મણ બી નિમ્બર્ગીએ જણાવ્યું હતું કે, આવારા તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Maharashtra માં સરકારી કાર્યાલયોમાં હવે ફરજીયાત મરાઠી જ બોલવું પડશે, સરકારે આપ્યો આદેશ

Advertisement

શાળાની દિવાલ પર ટાંગેલી હતી તસ્વીરો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, શાળાની દિવાલ પર ટીપુ સુલતાન અને ડૉ. ભીમરાવ આંબેડકરના ચિત્રો માટીથી રંગાયેલી છે. આ માટી મોંના ભાગ પર લગાવવામાં આવી હતી. ગામલોકોનું કહેવું છે કે બદમાશોએ ફક્ત આ બે ચિત્રોને જ નુકસાન પહોંચાડ્યું છે અને દિવાલ પરના બાકીના ચિત્રોને સ્પર્શ પણ કરવામાં આવ્યો નથી. એવો આરોપ છે કે આ કામ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું.

પોલીસ બદમાશોની શોધ કરી રહી છે

જોકે, બાદમાં ગ્રામજનોએ પોલીસ સાથે મળીને આ બંને પેઇન્ટિંગ્સ સાફ કર્યા અને તાલિકોટા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કેસ નોંધ્યો. હાલમાં, આ બદમાશોની શોધ ચાલી રહી છે. જ્યારે, અંગ્રેજી વેબસાઇટ અનુસાર, ચબાનુર ગામની આ સરકારી શાળા એક કન્નડ પ્રાથમિક શાળા છે. જ્યાં આ ઘટના બની હતી. ટીપુ સુલતાનને લઈને કર્ણાટકમાં ખૂબ રાજકારણ ચાલી રહ્યું છે. ત્યારે આ પ્રકારની ઘટનાથી અરાજકતાનો માહોલ સર્જાઇ શકે છે.

આ પણ વાંચો : ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ આપ્યું રાજીનામું

Tags :
Advertisement

Trending News

.

×