Maratha Reservation Bill: મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી મરાઠા આરક્ષણને, હવે... રાજ્યસભાનો નિર્ણય જોવાનો રહ્યો
Maratha Reservation Bill: છેલ્લા એક વર્ષથી ચાલતા મરાઠા આંદોલન (Maratha Reservation Protest) નો આખરે નિર્ણય આવી ગયો છે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) મરાઠા આરક્ષણ (Maratha Reservation) પર પોતાનો ચુકાદો આપ્યો છે.
- મહારાષ્ટ્ર સરકારે બિલને રાજ્યસભામાં મોકલ્યું
- મરાઠા સમુદાયની આખરે માંગણી પૂરી થવા જઈ રહી
- સરકાર માટે આ મોટો પડકાર સાબિત થશે
મહારાષ્ટ્ર સરકારે બિલને રાજ્યસભામાં મોકલ્યું
ત્યારે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) સરકારી નોકરીઓ અને શિક્ષા ક્ષેત્રે મરાઠાઓ માટે 10 ટકા અનામત (Maratha Reservation) મંજૂર કરવાના બિલને લાગુ કરી દીધું છે. જોકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) એ મરાઠા આરક્ષણ (Maratha Reservation) બિલને રાજ્યસભામાં મોકલ્યું છે.
મરાઠા સમુદાયની આખરે માંગણી પૂરી થવા જઈ રહી
તે ઉપરાંત મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) એ જણાવ્યું હતું કે, તેમણે વર્તમાન ક્વોટામાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર મરાઠાઓને અનામત (Maratha Reservation) આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે આ બિલને વિધાન પરિષદમાં મૂકવામાં આવશે, જેથી તેના પાસ થયા બાદ અને પછી રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ મહારાષ્ટ્ર (Maratha Reservation) ના મરાઠા સમુદાયની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પૂરી થશે.
સરકાર માટે આ મોટો પડકાર સાબિત થશે
મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગ (MSBCC) ના અહેવાલ અને ડ્રાફ્ટ બિલ મહારાષ્ટ્ર વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સત્રનો મુખ્ય એજન્ડા મરાઠા આરક્ષણ (Maratha Reservation) ને મંજૂરી આપવાનો છે. જોકે સરકાર માટે સૌથી મોટો પડકાર OBC આરક્ષણ સાથે છેડછાડ કર્યા વિના મરાઠા ક્વોટા આપવાનો છે.
આ પણ વાંચો: ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ’ અંતર્ગત PM Modi એ જમ્મુના કર્યા ભરપૂર વખાણ