અજિત પવાર એક દિવસ Maharashtra ના CM બનશે, દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન
- CM દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આપ્યું નિવેદન
- 'અજિત પવાર એક દિવસ CM બનશે' : દેવેન્દ્ર ફડણવીસ
- NCP નેતા અજિત પવારનું ભવિષ્ય ઉજ્જવળ - ફડણવીસ
મહારાષ્ટ્ર (Maharashtra)ના CM દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મોટું નિવેદન આપ્યું છે. ફડણવીસે વિધાનસભામાં કહ્યું છે કે, રાજ્યના નાયબ CM અને NCP વડા અજિત પવાર એક દિવસ મહારાષ્ટ્ર (Maharashtra)ના CM બનશે. તમને જણાવી દઈએ કે, અજિત પવાર પોતાની રાજકીય કારકિર્દીમાં ઘણી વખત રાજ્યના CM બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ફડણવીસે અજિત પવાર અને એકનાથ શિંદેની કાર્યશૈલીની પણ પ્રશંસા કરી હતી. CM ફડણવીસે કહ્યું કે, તેઓ અને તેમના બંને ડેપ્યુટી CM અજિત પવાર અને એકનાથ શિંદે રાજ્ય માટે 24x7 કામ કરશે.
ત્રણ શિફ્ટમાં કામ થશે...
મહારાષ્ટ્ર (Maharashtra)ના CM દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે રાજ્યપાલના સંયુક્ત સંબોધન માટે આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન ફડણવીસે કહ્યું કે, તેઓ અને નાયબ CM અજિત પવાર અને નાયબ CM એકનાથ શિંદે લોકો માટે 24 કલાક કામ કરશે. ફડણવીસે કહ્યું, "અજિત પવાર સવારે કામ કરશે, તેઓ સવારે વહેલા ઉઠે છે. હું બપોરે 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી કામ કરું છું, જ્યારે તમે બધા જાણો છો કે કોણ (એકનાથ શિંદે) આખી રાત કામ કરે છે."
આ પણ વાંચો : 'ધક્કામુક્કી' બાદ ઘાયલ BJP સાંસદ તરફ જતા રાહુલ ગાંધી કેમેરામાં કેદ, Video Viral
અજીત એક દિવસ CM બનશે : ફડણવીસ
નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ CM અજિત પવારનો ઉલ્લેખ કરતા મોટી વાત કહી. ફડણવીસે કહ્યું, "તમને કાયમી નાયબ CM કહેવામાં આવે છે પરંતુ મારી શુભકામનાઓ તમારી સાથે છે. તમે એક દિવસ CM બનશો." તમને જણાવી દઈએ કે, અજિત પવારે 5 ડિસેમ્બરે છઠ્ઠી વખત મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ CM તરીકે શપથ લીધા હતા.
આ પણ વાંચો : Mumbai : આંબેડકર અપમાનના મુદ્દે કોંગ્રેસ અને BJP વચ્ચે ટકરાવ, કાર્યાલયમાં તોડફોડ
NCP એ જોરદાર વાપસી કરી...
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને NCP ના મહાગઠબંધને 288 માંથી 230 થી વધુ બેઠકો મેળવીને જંગી બહુમતી મેળવી છે. લોકસભા ચૂંટણીમાં માત્ર 1 સીટ જીતનાર NCP એ વિધાનસભામાં જોરદાર વાપસી કરી અને 41 સીટો જીતી. અજિત પવારની પાર્ટીએ કુલ 57 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (શરદ ચંદ્ર પવાર)ની મહાવિકાસ અઘાડી રાજ્યમાં માત્ર 46 બેઠકો જ મેળવી શકી છે.
આ પણ વાંચો : કોણ છે નાગાલેન્ડના સાંસદ ફાંગનોન કોન્યાક, જેમણે રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ