Maharashtra News : ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો, 2 જિલ્લાઓમાં તંગ પરિસ્થિતિ
- ભિવંડીમાં ગણપતિ વિસર્જનને લઈને વિવાદ
- પથ્થરમારી તોડી મૂર્તિ, વિવાદને કારણે તંગ પરિસ્થિતિ
- આ ઘટના દરમિયાન એક યુવકને ટોળાએ પકડીને માર માર્યો
Maharashtra News : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભિવંડીમાં ગણપતિ વિસર્જન (Ganpati Visarjan) દરેક વર્ષે વિશાળ ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષ પણ વંઝારપટ્ટી નાકા ખાતે હિન્દુસ્તાની મસ્જિદ (Hindustani Masjid at Vanzarpatti Naka) ની બહાર એક મંડપ બાંધીને, મહોલ્લા કમિટી અને પોલીસ સાથે મળીને ગણેશ મંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસર્જન માટે, રાત્રિના 12 વાગ્યાના સુમારે, નદીનાકા ઘુઘાટ નગર પાસેથી કામવરી નદીમાં લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન ભગવાન ગણેશ (Lord Ganesh) ની મોટી મૂર્તિ જ્યારે વંઝારપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે હિન્દુસ્તાની મસ્જિદ નજીક કેટલાક યુવકોએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલાને કારણે મૂર્તિ તૂટી ગઈ હતી, અને આ ઘટનાને લઈને મંડળના લોકોમાં સ્થળ પર જ હોબાળો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના દરમિયાન એક યુવકને ટોળાએ પકડીને માર માર્યો અને પછી પોલીસને હવાલે કરી દીધો હતો.
ગણપતિ વિસર્જન દરમિયાન તંગ પરિસ્થિતિ
મહારાષ્ટ્રના થાણે જિલ્લાની ભિવંડીમાં ગણપતિ વિસર્જનના સમયે હિન્દુસ્તાની મસ્જિદ નજીક થનારી અફરાતફારીનો અહેવાલ મળ્યો છે. રાત્રિના લગભગ 12 વાગ્યે, જ્યારે ભગવાન ગણેશની મૂર્તિ વિસર્જન માટે લઈ જવામાં આવી રહી હતી, ત્યારે કેટલાક યુવકોએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના પરિણામે, મૂર્તિ ખંડિત થઈ ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં જ ભીડ ગુસ્સે થઈ ગઈ હતી અને બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ કેસમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. મંડળના લોકોએ આ ઘટનાઓને લઈને વિરોધ નોંધાવ્યો અને મૂર્તિનું વિસર્જન રોકી દેવામાં આવ્યું હતું. તેઓએ પોલીસને કહ્યું છે કે, જ્યાં સુધી પોલીસ તમામ આરોપીઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં.
એક યુવકને ટોળાએ માર માર્યો હતો
ઘટના બાદ મંડળના લોકોએ પ્રતિમા તોડવાને લઈને સ્થળ પર હોબાળો મચાવ્યો હતો. સૂત્રોનું માનીએ તો એક યુવકને ટોળાએ પકડીને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. મૂર્તિ વિસર્જન અંગે મંડળના લોકોએ માંગ કરી હતી કે જ્યાં સુધી પોલીસ તમામ આરોપીઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં. ઘટનાની જાણ થતાં જ અન્ય કેટલાક વિભાગોના લોકો ત્યાં પહોંચ્યા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. થોડી જ વારમાં બંને કોમના લોકોનું ટોળું વધી ગયું હતું અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. વાતાવરણ બગડતા જોઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને સમજાવ્યા હતા. જોકે, ગણેશ ભક્તો આરોપીઓની ધરપકડની માંગ સાથે અડગ રહ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ગણપતિ વિસર્જન કરવામાં આવશે નહીં. પોલીસ અને વધતી જતી ભીડ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો, જેમાં ઘણા લોકોને ઈજા પહોંચી હતી અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: Ganesh Visharan : ગોંડલ, ડભોઈ અને છોટાઉદેપુરમાં નમ આંખે શ્રીજીને વિદાય અપાઈ, જુઓ Photos