Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP નેતાના ઠેકાણે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા, જે મળ્યું તે જાણી ચોંકી જશો

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં આવકવેરા અધિકારીઓએ કરચોરીની તપાસ કરતી વખતે એક અનોખી અને અસામાન્ય ઘટનાનો અનુભવ કર્યો. તેમને આ દરમિયાન 4 મગરો મળ્યા, જેનો સંબંધ ઉદ્યોગપતિ રાજેશ કેસરવાની સાથે જોડાયેલા સ્થાનોથી હતો. આ 4 મગરો એક ઘરના તળાવમાં છુપાવાયેલા હતા.
bjp નેતાના ઠેકાણે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા  જે મળ્યું તે જાણી ચોંકી જશો
Advertisement
  • કરચોરીની તપાસ દરમિયાન સાગર જિલ્લામાં 4 મગરો મળી આવ્યા
  • ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના ઘરમાંથી 4 મગરો મળી આવ્યા
  • આવકવેરા અધિકારીઓના દરોડા દરમિયાન 155 કરોડની કરચોરી પકડી
  • દરોડા દરમિયાન મળી આવેલા 4 મગરોને વન વિભાગે બચાવ્યા
  • કરચોરીના કેસમાં BJPના ભૂતપૂર્વ ધારાસભ્યના પરિસરમાંથી મગરો મળ્યા

Shocking Incident : મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં આવકવેરા અધિકારીઓએ કરચોરીની તપાસ કરતી વખતે એક અનોખી અને અસામાન્ય ઘટનાનો અનુભવ કર્યો. તેમને આ દરમિયાન 4 મગરો મળ્યા, જેનો સંબંધ ઉદ્યોગપતિ રાજેશ કેસરવાની સાથે જોડાયેલા સ્થાનોથી હતો. આ 4 મગરો એક ઘરના તળાવમાં છુપાવાયેલા હતા. આ સ્થળ ભારતીય જનતા પાર્ટીના (BJP) ભૂતપૂર્વ ધારાસભ્ય હરવંશ સિંહ રાઠોડનો હોવાનું કહેવામાં આવ્યું છે.

આવકવેરા અધિકારીઓએ વિવિધ સ્થાનોએ પાડ્યા દરોડા

આ દરોડા રાજેશ કેસરવાની, જેઓ બીડીના વ્યવસાય સાથે જોડાયેલા છે, અને તેમના સહયોગીઓના ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, રાઠોડ જેઓ સાગર જિલ્લાના જુના નેતા છે અને 2013 માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના પિતા, હરનામ સિંહ રાઠોડ, જેઓ મધ્યપ્રદેશના મંત્રી રહી ચૂક્યા છે. રવિવારથી આ દરોડા વિવિધ સ્થાનોએ કરવામાં આવી રહ્યા છે, જેમાં રાજેશ કેસરવાની અને તેમના સહયોગીઓના બિઝનેસ સ્થળો પણ સામેલ છે. અહેવાલ મુજબ, શુક્રવારના દિવસે, દરોડા દરમિયાન, અધિકારીઓને પરિસરની અંદર આવેલા એક તળાવમાં 4 મગર જોવા મળ્યા, જેને જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા.

Advertisement

Advertisement

મગરોને બચાવવામાં આવ્યા

આ દરમિયાન, મળેલા મગરોને રાજ્યના વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના વડા અસીમ શ્રીવાસ્તવે મગરોને બચાવવાની ખાતરી આપી હતી અને વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. તેમણે આ વાતની પુષ્ટિ કરી કે, મગરોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. તેમ છતાં, મગર કયા ઘરમાંથી મળી આવ્યા તે જાહેર કરવામાં આવ્યું નથી.

કુલ 155 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ

અહેવાલ મુજબ અત્યાર સુધીના દરોડા દરમિયાન, 155 કરોડ રૂપિયાની કરચોરીને પકડવામાં આવી છે. 3 કરોડ રૂપિયા રોકડા, સોનું અને ચાંદી પણ મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ભૂતપૂર્વ ધારાસભ્ય, જેમણે બાંધકામના વ્યવસાયમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે, તે 140 કરોડ રૂપિયાની કરચોરીમાં સંલગ્ન છે. ઉલ્લેખનીય છે કે, આ કરચોરીના કેસમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા દરોડા અને મગરની શોધે સમગ્ર પ્રદેશમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

આ પણ વાંચો :  દિલ્હી ચૂંટણી માટે ભાજપની બીજી યાદી અંગે મોટી અપડેટ, આજે રાત્રે થઈ શકે છે જાહેર

Tags :
Advertisement

.

×