Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ગંભીર સ્થિતિમાં : CM Atishi

દિલ્હી CM આતિશીએ કહ્યું: “અહી કોઈને ઘરની બહાર નીકળવું સુરક્ષિત નથી” દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ: આતિશીનો કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કેન્દ્ર સરકાર નિષ્ફળ: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ગંભીર સ્થિતિમાં – આતિશી મોર્નિંગ વોક પણ સુરક્ષિત નથી: દિલ્હીમાં...
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ગંભીર સ્થિતિમાં   cm atishi
Advertisement
  • દિલ્હી CM આતિશીએ કહ્યું: “અહી કોઈને ઘરની બહાર નીકળવું સુરક્ષિત નથી”
  • દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ: આતિશીનો કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
  • કેન્દ્ર સરકાર નિષ્ફળ: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ગંભીર સ્થિતિમાં – આતિશી
  • મોર્નિંગ વોક પણ સુરક્ષિત નથી: દિલ્હીમાં ગુનાનો ભયંકર વાતાવરણ

CM Atishi : દિલ્હી સરકારના મુખ્યમંત્રી આતિશીએ રાજધાની દિલ્હીમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ કેન્દ્ર સરકાર પર આકરી ટીકા કરી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, આજકાલ લોકો પોતાના ઘરની બહાર નીકળતા સમયે પણ સુરક્ષિત અનુભવતા નથી. આતિશી (Atishi) એ કેન્દ્ર સરકારને આ મામલામાં નિષ્ફળ જાહેર કર્યુ અને કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી માત્ર કેન્દ્ર સરકારની છે, પરંતુ આમાં તે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.

દિલ્હીમાં જાહેરમાં ગુનાની ઘટનાઓ

આતિશીએ ખાસ કરીને દિલ્હી શહેરમાં બનતી વિવિધ ગુનાની ઘટનાઓ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, હવે ગુનાહિત કૃત્યાઓ, જેવા કે ગોળીબારી અને હત્યાઓ, રોજની વાત બની ગઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, થોડા અઠવાડિયા પહેલા જ એક પોલીસ કોન્સ્ટેબલને નજદીક 100-200 મીટરના અંતરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આને કારણે, લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે એ જ દિવસ છે જ્યારે શાહદરા વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા એક વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી હતી. મારે જાણવું છે કે કેન્દ્ર સરકાર શું કરી રહી છે? દિલ્હીમાં ભાજપ શાસિત કેન્દ્ર સરકારની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની એક જ જવાબદારી છે. દિલ્હીના લોકોને સુરક્ષા પૂરી પાડવી. દિલ્હી માટે તેમની પાસે આ એકમાત્ર કામ છે. આ કાર્યમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે.

Advertisement

Advertisement

મોર્નિંગ વોક અને ગુનાની ઘટનાઓ

આતિશી (Atishi) એ આગળ કહેવું હતું કે, કેટલાક તાજા બનાવોમાં, મોર્નિંગ વોક માટે નીકળેલા લોકો પણ સુરક્ષિત નથી. એક વ્યક્તિને શાહદરામાં ગોળી મારી દેવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં જવાનું કોઈને સલામત નથી લાગતું. રેસ્ટોરન્ટમાં ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. વાહનોના શોરૂમમાં ગોળીઓ વરસાવવામાં આવી રહી છે. મોર્નિંગ વોક દરમિયાન ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. ઘરોની અંદર છરીની લડાઈ ચાલી રહી છે. આજે કોઈને પોલીસનો ડર નથી કે તે પકડાઈ જશે. આતિશીએ ચેતવણીના સ્વરમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી શાસિત કેન્દ્ર સરકારનું એકમાત્ર કામ દિલ્હીના લોકોને સુરક્ષા પ્રદાન કરવાનું છે. તેમને સુરક્ષિત રાખો. તમે તમારું કામ યોગ્ય રીતે કરો, નહીં તો દિલ્હીના તમામ લોકોએ તમને તમારી યોગ્ય જગ્યા બતાવવા માટે એકઠા થવું પડશે.

આ પણ વાંચો:  'સામાન્ય લોકોની લૂંટ, કોર્પોરેટ્સને છૂટ!' રાહુલનો કેન્દ્ર સરકાર પર સીધો કટાક્ષ

Tags :
Advertisement

Trending News

.

×