Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kisan Credit Card: ખેડૂતોને 5 લાખની લોન તત્કાલ મળશે, વ્યાજ દર હશે ખુબ જ સસ્તો

Budget 2025 LIVE : નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોને સસ્તા ધિરાણની ભેટ આપી છે. નાણામંત્રીએ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતો માટે લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.
kisan credit card  ખેડૂતોને 5 લાખની લોન તત્કાલ મળશે  વ્યાજ દર હશે ખુબ જ સસ્તો
Advertisement
  • ખેડૂતોને અગાઉ 3 લાખ રૂપિયાની લોન મળતી હતી
  • 5 લાખ રૂપિયા હવે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત મળી જશે
  • પહેલાથી જ અટકળ હતી કે કિસાન ક્રેડિટકાર્ડની લિમિટ વધશે

Budget 2025 LIVE : નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોને સસ્તા ધિરાણની ભેટ આપી છે. નાણામંત્રીએ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતો માટે લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

કેસીસી મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી

નિર્મલા સીતારમણે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. જે હાલમાં 3 લાખ રૂપિયા છે. બજેટમાં પહેલાથી જ એવી અટકળો હતી કે KCC હેઠળ ખેડૂતો માટે ક્રેડિટ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે. આ જાહેરાતથી ખેડૂતો, ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને ઘણો ફાયદો થશે, અને તેના કારણે ગ્રામીણ માંગમાં પણ વધારો જોવા મળી શકે છે. જેના દ્વારા ગામડાઓની અર્થવ્યવસ્થામાં પણ સુધારો જોવા મળશે.

Advertisement

આ પણ વાંચો : LIVE: Union Budget 2025 Live : કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારાઈ

Advertisement

કિસાન ક્રેડિટ કાર્ડ શું છે?

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ, ખેડૂતોને ખેતીના હેતુ માટે સમયસર અને પર્યાપ્ત ધિરાણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઘણા લાભ મળે છે. ખેડૂતો એક જ જગ્યાએથી વિવિધ કૃષિ જરૂરિયાતો માટે લોન મેળવી શકે છે અને અરજી પ્રક્રિયા પણ એકદમ સરળ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લેવા પર વ્યાજ દરમાં 2% ડિસ્કાઉન્ટની સાથે, લોન સમયસર અથવા પહેલાં ચૂકવવા પર 3% ઝડપી ચુકવણી પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. સરકાર ખેડૂતોને વ્યાજ પર 2% ડિસ્કાઉન્ટ આપે છે. આ રીતે, ખેડૂતોને વાર્ષિક 4% ના દરે લોન આપવામાં આવે છે. ખેડૂતોને પાક વીમો, અકસ્માત વીમો, આરોગ્ય વીમો અને સંપત્તિ વીમાનું પણ કવર મળે છે.

મખાના બોર્ડની રચના

નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બિહારને ભેટ આપી છે. નાણામંત્રીએ મખાના બોર્ડની રચનાની જાહેરાત કરી છે. આને FPO હેઠળ રાખવામાં આવશે. જેના કારણે મખાનાની ખેતીમાં રોકાયેલા લોકોને ફાયદો થશે અને લોકોને તેના માટે તાલીમ પણ આપવામાં આવશે. આનો સીધો ફાયદો બિહારના ખેડૂતોને થશે જેઓ મખાનાની ખેતી કરે છે.

આ પણ વાંચો : Gold Price Today: બજેટના દિવસે સોનાના ભાવમાં ધરખમ વધારો, જાણો નવો ભાવ

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

SCO Summit :રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

featured-img
રાષ્ટ્રીય

Jagannath Rathyatra 2025: રથયાત્રામાં પહોંચી એમ્બ્યુલન્સ, લોકોની ભીડમાં 1500 સ્વયંસેવકોએ બનાવ્યો રસ્તો

featured-img
Top News

VADODARA : રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનનું ગભરામણ બાદ મોત

featured-img
ગુજરાત

Patan : રાજસ્થાનનાં બાલોતરા પાસે પાટણના યુવાનોની કાર ટેલર સાથે ધડાકાભેર અથડાઈ, 2 નાં મોત

featured-img
Top News

Surat માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી, હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા

featured-img
Top News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર SGVP ગુરુકુળથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

×

Live Tv

Trending News

.

×