Justice PB Varale: Supreme Court ના ઇતિહાસમાં, એક સાથે 3 દલિત મુખ્ય ન્યાયાધીશ
Justice PB Varale: દેશની Supreme Court એક ઐતિહાસિક કોલેજિયમની નિમણૂક કરી છે. કારણ કે... Supreme Court ના મુખ્ય ન્યાયાધીશોની કોલેજિયમમાં વધુ એક મુખ્ય ન્યાયાધીશને નિયુક્ત કરવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટના Chief Justice PB Varale ને Chief Justice DY Chandrachud સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા.
- Justice PB Varale એ શપથ ગ્રહણ કર્યા
- Supreme Court માં પહેલાથી બે દલિત સમુદાયના છે
- ગયા મહિને એક જગ્યા ખાલી પડી હતી ન્યાયાધીશ માટે
Justice PB Varale એ શપથ ગ્રહણ કર્યા
Supreme Court ના પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ પી.બી. વરાલે ને પદના શપથ લેવડાવ્યા હતા. કેન્દ્ર સરકારે જસ્ટિસ પી.બી. વરાલે ની Supreme Court માં જજ તરીકે મંજૂરી આપી હતી. તેમના શપથ લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે.
Supreme Court માં પહેલાથી બે અનુસૂચિત જાતિના છે
BREAKING| Justice PB Varale Sworn-In As Supreme Court Judge, Dalit Representation In SC Rises To 3#SupremeCourtofIndia #SupremeCourt https://t.co/cWEyxa3RMu
— Live Law (@LiveLawIndia) January 25, 2024
Supreme Court માં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34 છે. જેમાં મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. આ પહેલીવાર છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં 3 વર્તમાન જજ દલિત સમુદાયના છે. આ સમુદાયના અન્ય બે ન્યાયાધીશો justice br gavai અને Justice CT Ravikumar છે.
આ મહિનાની શરૂઆતમાં જસ્ટિસ પી.બી. વરાલેના નામની ભલામણ કરતી વખતે DY Chandrachud ની આગેવાની હેઠળના સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે કહ્યું હતું કે તે એ હકીકતને ધ્યાનમાં લે છે કે તેઓ High Court ના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોમાંના એક છે.
ગયા મહિને એક જગ્યા ખાલી પડી હતી ન્યાયાધીશ માટે

Justice PB Varale
કોલેજિયમે એમ પણ કહ્યું હતું કે તેઓ High Court ના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ છે જે અનુસૂચિત જાતિના છે. ગયા મહિને જસ્ટિસ એસ કે કૌલની નિવૃત્તિ બાદ સુપ્રીમ કોર્ટમાં એક જગ્યા ખાલી પડી હતી. કોલેજિયમે તેમના નામની ભલામણ કર્યાના એક સપ્તાહની અંદર જ જસ્ટિસ પી.બી. વરાલેની નિમણૂક કરવામાં આવી હતી.
કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતના બંધારણના અનુચ્છેદ 124 ની કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ Karnataka High Court ના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી.બી. વરાલે ને આ પદ પર નિમણૂક કરવા માટે પરવાનગી આપી છે.