jammu-kashmir : આતંકીઓ સામે કાર્યવાહી તેજ,વધુ એક આતંકીનું ઘર ફૂંકી મારવામાં આવ્યું
- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે કાર્યવાહી તેજ
- વધુ એક આતંકીનું ઘર ફૂંકી મારવામાં આવ્યું
- કુપવાડામાં આતંકીના ઘરને વિસ્ફોટ કરીને તોડી પડાયું
search operation: જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ફારૂક અહેમદના ઘરને ઉડાવી દીધું. ફારુક હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો છે અને ત્યાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. પહેલગામ હુમલા પછી આ છઠ્ઠી મોટી કાર્યવાહી છે.
આ 6 આતંકીના મકાનો જમીનદોસ્ત
ફારુક ઉપરાંત જે આતંકીઓના મકાનો જમીનદોસ્ત કરાયા છે, તેમાં અનંતનાગ જિલ્લાના થોકરપોરના આદિલ અહમદ થોકરનું, પુલવામાના મુર્રનમાં અહસાન ઉલ હક શેખ, ત્રાલના આસિફ અહમદ શેખ, શોપિંયાના ચોટીપોરાના શાહિદ અહમદ કુટ્ટે અને કુલગામના માટલહામાનો જાહિજ અહમદ ગનીનું મકાન સામેલ છે. સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, આતંક અને તેના સમર્થકો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સ્થાનિક લોકોને શાંતિ અને સહયોગ આપવાની પણ અપીલ કરવામાં આવી છે.
એક મકાન બ્લાસ્ટ કરીને તો એક બુલડોઝરથી તોડી પડાયું
સુરક્ષા દળોની ટીમે પહલગામ હુમલામાં સામેલ હોવાની શંકા હેઠળ શુક્રવારે બે આતંકવાદીઓના ઘરો ધ્વસ્ત કર્યા છે. લશ્કર-એ-તોઈબાના આતંકી આદિલ હુસૈન થોકરનું બિજબેહડા સ્થિત મકાનને IED બ્લાસ્ટથી ઉડાવી દેવાયું છે. જ્યારે ત્રાલમાં આતંકી આસિફ શેખનું મકાન બુલડોઝરથી તોડી પડાયું છે.
આ પણ વાંચો -Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં મેગા સર્ચ ઓપરેશન, Gujarat First નો Exclusive Report
થોકર પાકિસ્તાનથી ટ્રેલિંગ લઈને આવ્યો હતો
મળતા અહેવાલો મુજબ આદિલ થોકર પર આશંકા છે કે, તેણે પહેલગામ હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી હતી. એવું કહેવાય છે કે, થોકર 2018માં પંજાબના અટારી-વાઘા બોર્ડરના રસ્તે પાકિસ્તાન ગયો હતો, જ્યાં તેણે આતંકી કેમ્પોમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ તે ગત વર્ષે ઘૂસણખોરી કરી જમ્મુ-કાશ્મીરમાં આવ્યો હતો.
આ પણ વાંચો -Jammu and Kashmir alert: પહલગામ બાદ ફરી થઈ શકે છે મોટો આતંકી હુમલો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
આતંકીઓ પર 20 લાખનું ઈનામ
અનંતનાગ પોલીસે થોકર અને પહલગામ આતંકી હુમલાના જવાબદાર બે પાકિસ્તાની નાગરિકો અલી ભાઈ અને હાશિમ મૂસાને પકડવામાં મદદ કરનારને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ સાથે પોલીસે શંકાસ્પદોના સ્કેચ પણ જાહેર કર્યા છે. સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં ચારેતરફ સર્ચ ઓપરેશન કરી રહી છે.
26 પ્રવાસીઓના મોતથી દેશમાં આક્રોશ
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ મંગળવારે આતંકવાદીઓએ ક્રૂરતાની હદ વટાવી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. સેનાના વેશમાં આવેલા આતંકીઓે બેસરન ખીણમાં આવી પ્રવાસીઓને પહેલા ધર્મ પૂછ્યો, આઇડી જોયું અને પછી હિન્દુ છો, કહીને ગોળીબાર કર્યો હતો. 26 મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનિક નાગરિકો સામેલ છે. આ ઘટના બાદ દેશભરમાં રોષ ભભુક્યો છે અને તમામ લોકો આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વિશ્વભરમાં પણ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે.
(ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલનદેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી કરાઈ રહ્યુ છે રિપોર્ટિંગ અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી )