Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandrayaan-5: ઈસરોના ચંદ્રયાન-5 મિશનને મળી મંજૂરી, ચંદ્રાભ્યાસ માટે મોકલાશે 250 કિલોનું રોવર

સરકારે ઈસરોના ચંદ્રયાન -5 મિશનને મંજૂરી આપી છે. જે ચંદ્ર સુધી પહોંચશે અને ત્યાંની સપાટી વિશે નજીકથી અભ્યાસ કરશે. 2028માં ભારતનું પહેલું હ્યુમન સ્પેસ મિશન ગગન્યાનના પ્રારંભની યોજના બનાવી રહ્યું છે.
chandrayaan 5  ઈસરોના ચંદ્રયાન 5 મિશનને મળી મંજૂરી  ચંદ્રાભ્યાસ માટે મોકલાશે 250 કિલોનું રોવર
Advertisement
  • ભારત સરકારે ચંદ્રયાન-5 મિશનને આપી મંજૂરી
  • ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને કરી જાહેરાત
  • ચંદ્રાભ્યાસ માટે મોકલાશે 250 કિલોનું રોવર

ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે, ભારત સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. બેંગાલુરૂમાં ઈસરોના હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમને સંબોધતા અધ્યક્ષ વી. નારાયણને આ જાહેરાત કરી હતી.  આ મિશન ચંદ્રયાન-5માં જાપાન પણ ભારતનો સહયોગ કરવાનું છે.

ચંદ્રાભ્યાસ માટે મોકલાશે 250 કિલોનું રોવર

ISROના અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે, ભારત સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી છે. ચંદ્રયાન-5 મિશનમાં 250 કિલોના રોવરને સામેલ કરવામાં આવશે. આ રોવર ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. અગાઉ ચંદ્રયાન-3માં પ્રયાગયાન નામનું રોવર મોકલવામાં આવ્યું હતું, જેનું વજન માત્ર 25 કિલોગ્રામ હતું.  આ વખતે ઈસરો તરફથી પ્રયાગયાન કરતા દસ ગણું એટલે કે 250 કિલોનું રોવર મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.  મિશન ચંદ્રયાન-5માં જાપાન પણ ભારતનું સહયોગી બનીને અવકાશ મિશનને સફળ બનાવવા સહયોગ કરશે.

Advertisement

આ પણ વાંચોઃ  PM Modi about Mahakumbh: વિશ્વએ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ભારતનું ભવ્ય સ્વરૂપ અનુભવ્યું છે- વડાપ્રધાન મોદી

Advertisement

અગાઉના ચંદ્રયાન મિશન

અગાઉ ભારતે 2008માં ચંદ્રયાન-1 અને 2019માં ચંદ્રયાન-2 મિશન પાર પાડ્યા હતા. 2023માં, ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થતાં જ ભારતે અવકાશ ક્ષેત્રે ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. ભારત 2028માં તેનું પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન શરૂ કરશે.  ઈસરો દ્વારા ચંદ્રયાન-4 મિશનને 2027માં લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં ચંદ્ર પરથી માટી અને ખડકોના નમૂનાઓને અભ્યાસ માટે પૃથ્વી પર લાવવામાં આવશે. ચંદ્રયાન- 2 મિશન વર્ષ 20219માં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક ઓર્બિટર, લેન્ડર અને રોવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મિશનના અંતિમ તબક્કામાં કંઈક યાંત્રિક ખામી સર્જાઈ હતી. જો કે આ મિશનમાં વપરાયેલ ઓર્બિટર અત્યારે પણ કાર્યરત છે અને ચંદ્રના હાઈ રીઝોલ્યુશન ફોટોગ્રાફસ પૃથ્વી પર ઈસરોને મોકલી રહ્યું છે.

આ પણ વાંચોઃ Starlink ની ભારતમાં એન્ટ્રી કન્ફર્મ!Fiber ઇન્ટરનેટને પણ આપશે ટક્કર

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Ahmedabad Plane Crash ની અસર, વારાણસીમાં ટેકઓફ પહેલા યાત્રી વિમાનને પગે લાગ્યો

featured-img
રાષ્ટ્રીય

Uttarakhand : આજે દેહરાદૂન IMA માં 419 કેડેટ્સની પાસિંગ આઉટ પરેડ (POP) યોજાઈ

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash Incident : એર ઈન્ડિયામાં એર હોસ્ટેસ હતી મનીષા થાપા, પ્લેન ક્રેશમાં થયું મોત

featured-img
Top News

Ahmedabad Plane Crash : દરેક મુશ્કેલીને મહાત આપી ઊંચી ઉડાનનું સપનું પૂરું કર્યું, પરંતુ તે જ મોતનું કારણ બન્યું!

featured-img
Top News

Ahmedabad plane crash: 15 જૂનથી ઉડાન પહેલા જ તમામ વિમાનની થશે તપાસ

featured-img
Top News

Ahmedabad Plane Crash : 16મી જૂને પતિના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા લંડન જઈ રહી હતી હરપ્રીત કોર

×

Live Tv

Trending News

.

×