ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું સેલ્ફ ગોલ કરી રહી છે Kangana Ranaut? જાણો કેમ થઇ રહી છે આ ચર્ચા

કંગના રનૌતનું વધુ એક નિવેદન ચર્ચામાં ત્રણ કૃષિ કાયદા પાછા લાવવા કરી માંગ કંગનાએ ખેડૂતોને આ કાયદા પરત લાવવા અપીલ કરવાની સલાહ આપી Kangana Ranaut News : પોતાના બેબાક અંદાજના કારણે હર હંમેશા ચર્ચામાં રહેતી કંગના રનૌતે એકવાર ફરી...
08:36 AM Sep 25, 2024 IST | Hardik Shah
Kangana Ranaut News

Kangana Ranaut News : પોતાના બેબાક અંદાજના કારણે હર હંમેશા ચર્ચામાં રહેતી કંગના રનૌતે એકવાર ફરી એવું નિવેદન આપ્યું છે જેના કારણે BJP ની ટેન્શન વધી ગઇ છે. ભાજપે આ પહેલા પણ એકવાર તેમના નિવેદનો પર સ્પષ્ટતા આપવી પડી હતી. જો કે, પાર્ટીએ પહેલાથી જ તેમના નેતાઓને કોઈપણ વિવાદાસ્પદ નિવેદનો કરવાથી બચવા સૂચના આપી દીધી છે. પરંતુ કંગના કંઈક એવું બોલી જાય છે જેના પછી પાર્ટીએ તેના પર બોલવું પડે છે. તાજેતરમાં કંગનાએ ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપ્યું હતું. આ અંગે ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયા (Gaurav Bhatia) એ કહ્યું કે આ નિવેદન કંગના (Kangana) નું અંગત નિવેદન છે.

શું હતું કંગનાનું નિવેદન?

હિમાચલ પ્રદેશના મંડીમાં મીડિયા સાથે વાત કરતી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ કંગના રનૌતે જે કહ્યું તેનાથી સૌ કોઇ ચોંંકી ગયા છે. તેમણે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. તેમણે કહ્યું કે સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા લાવવા જોઈએ, જે ખેડૂતોના લાંબા વિરોધ પછી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. કંગનાએ કહ્યું કે આ કાયદાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો હતો, કેટલાક રાજ્યોમાં ખેડૂતોના વિરોધને કારણે સરકારે તેમને પાછા ખેંચવા પડ્યા હતા. કંગનાએ વધુમાં કહ્યું કે ખેડૂતો દેશના વિકાસનો એક ખાસ આધારસ્તંભ છે. તેમણે ખેડૂતોને અપીલ કરી અને કહ્યું કે તેઓએ પોતાના માટે આ કાયદા પાછા લાવવાની માંગ કરવી જોઈએ. હવે તેની પાર્ટીએ ફરી એકવાર કંગનાના નિવેદનથી દૂરી લીધી છે. તેણે દાવો કર્યો કે આ તેમનું અંગત નિવેદન છે. મીડિયા સાથે વાત કરતા કંગના રનૌતે કહ્યું, "હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ. ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવું જોઈએ."

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાની સ્પષ્ટતા

જો કે, કંગનાના આ નિવેદન પર ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સ્પષ્ટતા કરી કે આ તેમનું અંગત નિવેદન છે અને તે પાર્ટીના અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતું નથી. ભાટિયાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, "કેન્દ્ર સરકાર દ્વારા પાછી ખેંચવામાં આવેલા કૃષિ બિલ પર BJP સાંસદ કંગના રનૌતનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ નિવેદન તેમનું અંગત નિવેદન છે. કંગના રનૌત BJP તરફથી આ પ્રકારનું નિવેદન આપવા માટે અધિકૃત નથી અને તે કૃષિ બિલો પરના ભાજપના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરતું નથી. અમે આ નિવેદનનું ખંડન કરીએ છીએ."

આ ત્રણ કાયદા વિશે થઇ રહી છે ચર્ચા

કંગનાના નિવેદનની કોંગ્રેસે કરી આકરી ટીકા

કોંગ્રેસે કંગનાના નિવેદનની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી તરફ ઈશારો કરતા કહ્યું કે, "ત્રણ કાળા કાયદાનો વિરોધ કરતી વખતે 750થી વધુ ખેડૂતો શહીદ થયા હતા. તેમને ફરીથી લાગુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે આવું ક્યારેય થવા દઈશું નહીં." હરિયાણા તેનો પહેલો જવાબ આપશે."

આ પણ વાંચો:   Kangana Ranaut ને કડક સૂચના, BJP એ કહ્યું- પાર્ટીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી નથી

Tags :
3 Farm lawsAgricultural Laws IndiaBJP Distance from KanganaBJP TensionCongress Criticism KanganaControversial Farm LawsEssential Commodity Act 1955Farm Bills ControversyFarm Laws ReinstatementFarmers ProtestFarmers Protest VictimsFarmers Welfare IndiaGaurav Bhatia ClarificationGujarat FirstHardik ShahKangana Media MandiKangana RanautKangana Ranaut NewKangana Ranaut newsKangana Ranaut on Farm LawsKangana Ranaut StatementKangana RautPersonal Statement Kanganapm narendra modi
Next Article
Home Shorts Stories Videos