Indian Embassy News: ખાલિસ્તાની હરદીપ સિંહની યાદમાં કેનેડાની સાંસદમાં મૌન રખાયું, ભારતીય દૂતાવાસે કહ્યું....
Indian Embassy News: તાજેતરમાં Canada ની સાંસદમાં Khalistani આંતકવાદી હરદીપ સિંહની યાદમાં મૌન રાખવામાં આવ્યું હતું. તેને લઈ આજરોજ India વિદેશ મંત્રાલય દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જ્યસવાલે આ અંગે નિવેદન આપ્યું છે.
1985 માં એક વિમાનને બોમ્બથી ઉડાડી દેવામાં આવ્યું
એરપોર્ટ પર લેન્ડિંગના 45 મિનિટ પહેલા વિસ્ફોટ
બોમ્બ બ્લાસ્ટનો આરોપ Khalistani આતંકવાદી
ત્યારે Indian Embassy ના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું હતું કે, સામાન્ય રીતે India કોઈ પણ રીતે હિંસાત્મક પ્રવૃતિને રાજનૈતિક રીતે સમર્થક આપવામાં આવે તેવી ઘટનાઓને સમર્થન આપતું નથી. આ પહેલા પણ Khalistani આતંકવાદીઓએ 1985 માં એક વિમાનને બોમ્બથી ઉડાડી દેવામાં આવ્યું હતું. ત્યારે પણ Canada એ India પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. તો India આતંકવાદીઓને પકડી પાડવામાં કુશળ છે. તે ઉપરાંત India આતંકવાદીઓ સામે લડાવાને લઈ વૈશ્વિક સ્તરે પણ બધાની સાથે મળીને કામ કરી રહ્યું છે.
એરપોર્ટ પર લેન્ડિંગના 45 મિનિટ પહેલા વિસ્ફોટ
હવાઈ મુસાફરીના ઈતિહાલમાં સૌથી ભયનાક આતંકવાદી કૃત્ય એ હતું કે, બોમ્બ કોઈ વિમાનને ઉડાડી દેવામાં આવે. ત્યારે વિમાનને Canada ના વાનકુવરમાં આતંકવાદીઓએ બોમ્બથી વિસ્ફોટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે 23 જૂન, 1985ના રોજ મોન્ટ્રીયલ-નવી દિલ્હી એર ઈન્ડિયા 'કનિષ્ક' ફ્લાઈટ નંબર 182 માં લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગના 45 મિનિટ પહેલા વિસ્ફોટ થયો હતો.
બોમ્બ બ્લાસ્ટનો આરોપ Khalistani આતંકવાદી
જેમાં સવાર તમામ 329 લોકો માર્યા ગયા હતા. આમાંના મોટાભાગના Indian મૂળના કેનેડિયન હતા. આ બોમ્બ બ્લાસ્ટનો આરોપ Khalistani આતંકવાદીઓ પર લગાવવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ કથિત રીતે સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે 1984 માં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન બ્લુસ્ટાર'નો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Maharashtra Protest: નરાધમે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી મારી નાખી, સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘમાસાણ