સરકાર આર્થિક આધાર પર અનામત માટે તૈયાર, હવે SC,ST,OBC નહીં હિંદુ અનામત હશે
- રામભદ્રાચાર્યએ કહ્યું સરકાર આર્થિક અનામત આપવાની તૈયારીમાં છે
- હવે સમગ્ર દેશમાં કોઇ SC, ST અને OBC નહી પરંતુ હિંદુ રાષ્ટ્ર બનવા માંગે છે
- સવર્ણનો દિકરો જુતા સીવે અને ચાર ટકા સાથે અનામત વર્ગનો બાળક સરકારી નોકરી મેળવશે
જયપુર : શહેરમાં રામકથા માટે પહોંચેલા જગતગુરૂ રામભદ્રાચાર્યએ કહ્યું કે, શત પ્રતિશત નંબર લાવીને સવર્ણ બાળક જુતા સીવે અને ચાર ટકા લાવીને એસસીનો બાળક નોકરી મેળવે. તેને સમાપ્ત કરવું જ પડશે અને તે થશે. કોઇ SC,ST,OBC નહીં તમામ હિંદુ એક છે અને તમામ ભારતીય છે.
સરકાર જાતી આધારિત અનામત ખતમ કરવી પડશે
જયપુરમાં કથા કહેવા આવેલા જગતગુરૂ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે, સરકારોને જાતિના આધારે અનામત ખતમ કરીને આર્થિક આધાર પર આપવું જોઇએ અને તે ખુબ જ ઝડપથી થવાનું છે. તેમણે કહ્યું કે, અમે સવર્ણ સમાજમાં જન્મ લઇને પાપ નથી કર્યું.
આ પણ વાંચો : Chhattisgarh માં ફરી એન્કાઉન્ટર, કાંકેરના જંગલમાં 5 નક્સલવાદીઓ ઠાર
હવે તમામ હિંદુ એક છે કોઇ જાતીમાં વહેંચાયેલા નહી
રામભદ્રાચાર્ય એટલે જ નહોતા અટક્યા તેમણે કહ્યું કે, શત પ્રતિશત નંબર લાવીને સવર્ણનો બાળક જુતા સીવશે અને એસસી અને એસટીનો બાળક ચાર ટકા લાવીને નોકરી મેળવશે. તેને સમાપ્ત કરવું જ પડશે અને તે થશે. કોઇ SC,ST,OBC નહીં તમામ હિંદુ એક છે, તમામ ભારતીયો એક છે. આર્થિક આધારે અનામત કરી દો. ત્યારે આ જાતિવાળુ ગૃહ યુદ્ધ આપોઆપ સમાપ્ત થઇ જશે.
આ પણ વાંચો : Exposed: સાંસદ રામ મોકરીયાએ સસ્તા અનાજની ગુણવત્તાની ખોલી પોલ
શુદ્ર ચરણમાંથી જનમ્યા તેમની સામે મસ્તક ઝુકે છે
તેમણે આગળ કહ્યું કે, બ્રાહ્મણ મુખથી નિકળ્યો છે, ક્ષત્રિય ભુજાથી વૈશ્ય જાંધથી અને શુદ્ર ચરણથી નિકળ્યા છે. ચરણ પર માથુ નમે છે તેઓ અપવિત્ર કઇ રીતે હોઇ શકે. હિંદુઓમાં કોઇ છુતાછુત નથી. 80 ટકા દેશમાં હિંદુ કરવું થશે ફરીથી તમામ સમસ્યાઓ ખતમ થઇ જશે.
આ પણ વાંચો : Morbi Bridge case ના આરોપી Jaysukh Patelના સન્માનથી વિવાદ
રાજસ્થાનના સીએમ અંગે કર્યો ચોંકાવનારો દાવો
રામભદ્રાચાર્યએ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સામે કહ્યું કે, જાણો છો જ્યારે મુખ્યમંત્રીની ચર્ચા ચાલી રહી હતી રાજસ્થાનના સીએમ કોણ બનશે તો મે તેમની પર વાત કરી અને કહ્યું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી બ્રાહ્મણને બનાવો. તમામે કહ્યું કે, કઇ રીતે થશે? વસુંધરાજી કઇ રીતે માનશે? ત્યારે અમે કહ્યું કે, તેમના મોઢેથી જ કહેવડાવો અને આ પ્રકારે મારી સમજથી રાજસ્થાનને પહેલો બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવ્યા. આ પ્રસંગે જગતગુરૂ રામભદ્રાચાર્યએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરવાની પણ અપીલ કરી હતી.
આ પણ વાંચો : Shraddha Walker Murder નો આરોપી આફતાબ હવે લોરેન્સ ગેંગના નિશાના પર