Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

National awards: રાષ્ટ્રીય પુરસ્કારોમાં પણ... પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન

હાલના સમયગાળમાં દેશમાં ઓલોમ્પિક ખેલાડીઓ અને સરકારી અધ્યક્ષો વચ્ચે મહાસંગ્રામ ચાલી રહ્યો છે. ત્યારે લાંબા સમયના વિરોધ પ્રદર્શન બાદ ઓલોમ્પિક ખેલાડીઓ સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ તેમના પદ્મ પુરસ્કાર દેશને પરત કરી દેવામાં આવ્યો છે. જો કે અગાઉ પણ આવા...
01:09 PM Dec 23, 2023 IST | Aviraj Bagda

હાલના સમયગાળમાં દેશમાં ઓલોમ્પિક ખેલાડીઓ અને સરકારી અધ્યક્ષો વચ્ચે મહાસંગ્રામ ચાલી રહ્યો છે. ત્યારે લાંબા સમયના વિરોધ પ્રદર્શન બાદ ઓલોમ્પિક ખેલાડીઓ સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ તેમના પદ્મ પુરસ્કાર દેશને પરત કરી દેવામાં આવ્યો છે. જો કે અગાઉ પણ આવા અનેક બનાવો બની ગયા છે.

પરંપરા

રાષ્ટ્રીય પુરસ્કાર માટે દેશની તપાસ એજન્સીઓ દ્વારા તેના પાત્રની તપાસ અને ચકાસણી કર્યા પછી વ્યક્તિને રાષ્ટ્રીય પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવે છે. ત્યાર બાદ, એવોર્ડ માટે નોમિનીના નામ જાહેર કરતા પહેલા, તેમને પૂછવામાં આવે છે કે તેઓ એવોર્ડ મેળવવા ઈચ્છે છે કે નહીં. જો કે આ અનૌપચારિક રીતે કરવામાં આવે છે, જો પ્રાપ્તકર્તા ઇનકાર કરે છે કે તેઓ એવોર્ડ ઇચ્છતા નથી, તો તેમનું નામ નોંધવામાં આવતું નથી.

પ્રતિષ્ઠા

ત્યારે એક અહેવાલ મુજબ કોઈપણ એવોર્ડ વિજેતા કારણ આપીને પોતાનો એવોર્ડ પરત કરી શકે છે, પરંતુ પદ્મ એવોર્ડના કિસ્સામાં આવી કોઈ જોગવાઈ નથી. પદ્મ પુરસ્કાર અંગેનો નિયમ છે કે જ્યાં સુધી કોઈ નક્કર કારણ ન હોય ત્યાં સુધી એવોર્ડ રદ કરી શકાતો નથી. આ ત્યારે જ થાય છે જ્યારે રાષ્ટ્રપતિ નક્કી કરે કે વિજેતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ.

અનુશાસન

એકવાર કોઈ વ્યક્તિને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અથવા પદ્મશ્રીથી આપવામાં આવે છે, તેનું નામ ભારતના ગેઝેટમાં પ્રકાશિત થાય છે. પુરસ્કાર પ્રાપ્તકર્તાઓ માટે એક રજિસ્ટર જાળવવામાં આવે છે. જો તે પછી પ્રાપ્તકર્તા તેનો/તેણીનો એવોર્ડ પરત કરવાની ઓફર કરે તો પણ તેનું નામ અને પુરસ્કાર રજિસ્ટરમાંથી કાઢી નાખવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Karnataka: કર્ણાટકના ખોળેથી થયો હિજાબ માટે ન્યાયનો ઉદય

Tags :
GujaratFirstOlympicOlympic ParkProtestRiotswiththeNationalAward
Next Article