Diesel price : આ રાજ્યમાં ડીઝલના ભાવમાં થયો ધરખમ વધારો
- કર્ણાટક સરકારે 1 એપ્રિલથી ડીઝલમાં કર્યો વધારો
- ડીઝલનો 2.75 રૂપિયા પ્રતિ લિટર થયો
- ડીઝલનો ભાવ ૮૮.૯૯ રૂપિયા પ્રતિ લિટર છે
Diesel price : કર્ણાટક સરકારે 1 એપ્રિલથી ડીઝલ પર (Diesel price)વેચાણ વેરો (KST) 18.4% થી વધારીને 21.17% કર્યો છે. આ વધારાને કારણે, ડીઝલનો ભાવ 2 રૂપિયા વધીને 2.75 રૂપિયા પ્રતિ લિટર થયો છે. આ વધારા છતાં, રાજ્ય સરકારનો દાવો છે કે કર્ણાટકમાં ડીઝલના ભાવ હજુ પણ દક્ષિણ ભારતમાં સૌથી ઓછા છે. હાલમાં કર્ણાટકમાં ડીઝલનો ભાવ ૮૮.૯૯ રૂપિયા પ્રતિ લિટર છે અને પેટ્રોલનો ભાવ 102.93 રૂપિયા પ્રતિ લિટર છે.
ફુગાવા પર અસર
ડીઝલના ભાવમાં (Diesel price)વધારાથી પરિવહન ખર્ચ પર સીધી અસર પડશે. ટ્રક, બસ, ટેક્સી અને અન્ય જાહેર પરિવહનના ખર્ચમાં વધારો થશે, જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓ અને ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે. આના કારણે સામાન્ય લોકોને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડશે.
Karnataka Sales Tax rate on diesel has been increased to 21.17%, effective from 01-04-2025. As a result, there will be an increase of Rs 2 per litre, bringing the sale price to Rs 91.02. pic.twitter.com/gt7mVaVrME
— ANI (@ANI) April 1, 2025
આ પણ વાંચો -દીકરાના એડમિશનને બદલે પિતાનું ટીચરના પ્રેમમાં 'એડમિશન'!ગુમાવ્યા 20 લાખ
અન્ય ખર્ચાઓ પણ વધ્યા
તાજેતરમાં, બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) એ ઘરો પર હાઉસ ટેક્સની સાથે કચરો વ્યવસ્થાપન કર વસૂલવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત બસ ભાડામાં ૧૫% અને મેટ્રો ભાડામાં ૭૧%નો વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો થયો છે, અને વીજળીના બિલમાં પણ વધારો થયો છે. આગામી વર્ષોમાં વીજળીના ફિક્સ્ડ ચાર્જમાં પણ ધીમે ધીમે વધારો થશે. તે ૨૦૨૫-૨૬માં ૨૫ રૂપિયા, ૨૦૨૬-૨૭માં ૩૦ રૂપિયા અને ૨૦૨૭-૨૮માં ૪૦ રૂપિયા રહેશે.
આ પણ વાંચો -દેશના આ રાજ્યમાં આવ્યો જોરદાર ભૂકંપ,લોકો ઘરની બહાર નીકળ્યા
સરકાર પર વધતું દબાણ
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સતત વધી રહેલા ભાવોને લઈને વિપક્ષ અને સામાન્ય જનતાની ટીકાનો સામનો કરી રહી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકાર સામાન્ય લોકો પર વધારાના કર લાદી રહી છે, જેના કારણે તેમનું જીવન મુશ્કેલ બની રહ્યું છે.ડીઝલના ભાવમાં વધારાથી વ્યાપક અસર પડશે, ખાસ કરીને પરિવહન અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પર. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે આ બીજો ફટકો છે. સરકારે વૈકલ્પિક પગલાં લેવા જોઈએ જેથી સામાન્ય લોકોને રાહત મળી શકે.