Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીના CM આવાસને સીલ કરી દેવામાં આવ્યું! PWD એ કરી કાર્યવાહી

દિલ્હીના CM નિવાસસ્થાનને સીલ કરવામાં આવ્યું હૅન્ડઓવરને લઈને વિવાદ PWDએ લગાવ્યું ડબલ લોક AAP નો BJP પર બંગલો હડપવાનો આરોપ Delhi CM House : દિલ્હીમાં મુખ્યમંત્રીના સત્તાવાર આવાસને સીલ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ગેરકાયદેસર ઉપયોગના આરોપમાં...
દિલ્હીના cm આવાસને સીલ કરી દેવામાં આવ્યું  pwd એ કરી કાર્યવાહી
  • દિલ્હીના CM નિવાસસ્થાનને સીલ કરવામાં આવ્યું
  • હૅન્ડઓવરને લઈને વિવાદ
  • PWDએ લગાવ્યું ડબલ લોક
  • AAP નો BJP પર બંગલો હડપવાનો આરોપ

Delhi CM House : દિલ્હીમાં મુખ્યમંત્રીના સત્તાવાર આવાસને સીલ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ગેરકાયદેસર ઉપયોગના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. સુત્રોની માનીએ તો દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને તેમના સામાન સાથે બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, આ ભાજપના ઈશારે કરવામાં આવી રહ્યું છે. વળી એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે, ભાજપ તેના એક નેતાને મુખ્યમંત્રી આવાસ ફાળવવાની તૈયારી કરી રહી છે.

Advertisement

મુખ્યમંત્રી આવાસને સીલ કર્યું

સમગ્ર કાર્યવાહી PWD દ્વારા કરવમાં આવી છે. PWD એ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ કરી દીધું છે. આવાસના મુખ્ય દરવાજા પર ડબલ લોક લગાવવામાં આવ્યું છે. તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને આ સરકારી આવાસ ખાલી કરી દીધું હતું. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ આતિશી તેમાં શિફ્ટ થઈ ગયા હતા. વેકેશન અને ઘરના હેન્ડઓવરને લઈને વિવાદ છે, જેના પછી PWDએ આ કાર્યવાહી કરી છે. નિવાસસ્થાન સીલ કરવામાં આવ્યા બાદ દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ, તમારા પાપોનો માટલો આખરે ભરાઈ ગયો છે. આખરે, તમારા ભ્રષ્ટ શીશ મહેલને સીલ કરવામાં આવ્યો છે. આજે સવારે જ ભારતીય જનતા પાર્ટીએ માંગણી કરી હતી કે તમે તે ભ્રષ્ટ શીશમહેલમાં કેવી રીતે જીવી રહ્યા છો જેનો સેક્શન પ્લાન પાસ થયો ન હતો અને જેનું કમ્પિલિશન સર્ટિફિકેટ મળ્યું ન હતું. તમે રહેતા હતા, પણ તમે ચોર દરવાજાથી ખડાઉના મુખ્યમંત્રીને કેવી રીતે પ્રવેશવા માંગતા હતા. એ બંગલાની અંદર ક્યા રહસ્યો દટાયેલા છે જે સરકારી વિભાગને ચાવી આપ્યા વિના નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા? આખી દિલ્હી જાણે છે કે બંગલો તમારા તાબામાં હતો.

Advertisement

AAP નો BJP પર બંગલો હડપવાનો આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના નિવાસ સ્થાને સ્થળાંતર કર્યા પછી, આમ આદમી પાર્ટીએ બુધવારે આરોપ લગાવ્યો કે તે હજુ સુધી તેમને ફાળવવામાં આવ્યું નથી. AAP એ ભાજપ પર બંગલો હડપ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંગલો ખાલી કરી દીધો અને લ્યુટિયન્સ દિલ્હીમાં નવા આવાસમાં રહેવા ગયા પછી સોમવારે આતિશીએ બંગલામાં રહેવાનું શરૂ કર્યું હતું. દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનને જપ્ત કરવાની માંગ કરી હતી. ભાજપે માંગ કરી છે કે, જાહેર બાંધકામ વિભાગ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત શીશમહેલ બંગલાને તાત્કાલિક સીલ કરે, તેનો સંપૂર્ણ સર્વે કરે અને વીડિયો રિપોર્ટ જનતા સમક્ષ મૂકે. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આ શીશમહલ બંગલા વિશે બધા જાણે છે કે અરવિંદ કેજરીવાલે તેને ગેરકાયદેસર બનાવ્યો હતો. ન તો તેનો નકશો માન્ય છે કે ન તો તેની પાસે કોઈ કમ્પિલિશન સર્ટિફિકેટ (CC) છે. આવી સ્થિતિમાં, આ બંગલો આગળ ફાળવવો કે નહીં તે નક્કી કરવાનો અધિકાર જાહેર બાંધકામ વિભાગને છે.

આ પણ વાંચો:  Haryana Election : 'જો અમારી ઈચ્છાઓનું ધ્યાન રાખ્યું હોત તો સ્થિતિ અલગ હોત'

Advertisement

Tags :
Advertisement

.