ઈશ્વરે PM Modi ને એરપોર્ટ અને પાવર પ્લાન્ટ અદાણીને સોંપવાનો નિર્દેશ આપ્યો!
Congress Leader Rahul Gandhi: લોકસભા ચૂંટણી 2024 માં વાયનાડ અને રાયબરેલી લોકસભા બેઠકો જીતનાર Congress ના દિગ્ગજ નેતા Rahul Gandhi એ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર કટાક્ષ કર્યો છે. કેરળના મલપ્પુરમ (Malappuram) માં જનતાને સંબોધિત કરતા Rahul Gandhi એ કહ્યું કે તેમને ભગવાન તરફથી કોઈ સૂચના નથી મળતી કે PM Modi જે રીતે કામ કરે છે તે રીતે શું કરવું જોઈએ.
Congress નેતા Rahul Gandhi એ કેરળમાં વિશાળ જનસભાને સંબોધી
Congress ના નેતા Rahul Gandhi એ વડાપ્રધાન પર કટાક્ષ કર્યા
PM Modi ને પોતાનું વલણ બદલવાની સલાહ આપી
PM Modi ની મજાક ઉડાવતા Congress નેતા Rahul Gandhi એ કહ્યું કે ભગવાને પીએમને દેશના મોટા એરપોર્ટ અને પાવર પ્લાન્ટ અદાણીને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. Rahul Gandhi એ કહ્યું, પરંતુ હું એક માણસ છું. મારા માટે ભગવાન દેશના ગરીબ લોકો છે. તેથી, મારા માટે તે સરળ છે. હું ફક્ત લોકો સાથે વાત કરું છું અને તેઓ મને કહે છે કે મારે શું કરવું.
#WATCH | Malappuram, Kerala: Congress MP Rahul Gandhi says, "I have a dilemma in front of me- will I be a Member of Parliament of Wayanad or Raebareli? Unfortunately, like the PM, I am not guided by God. I am a human being...Unfortunately, I do not have this luxury because I am… pic.twitter.com/CS0WaBqHy6
— ANI (@ANI) June 12, 2024
PM Modi ને પોતાનું વલણ બદલવાની સલાહ આપી
તેમના ભાષણ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે લોકસભા ચૂંટણી 2024 ની લડાઈ ભારતના બંધારણની રક્ષા કરવાની છે અને એ લડાઈમાં નફરતને પ્રેમ અને સ્નેહથી તેમજ અહંકારને નમ્રતાથી હાર આપવામાં આવી છે. તે ઉપરાંત Congress ના દિગ્ગજ નેતા Rahul Gandhi એ PM Modi ને પોતાનું વલણ બદલવાની સલાહ આપી છે. આ સંદેશ ભારતની જનતાએ તેમને આ લોકસભા ચૂંટણીના પરિણામના માધ્યમથી આપ્યો છે.
આ પણ વાંચો: PM Modi And Italy: ખાલિસ્તાનીઓની નાપાક હરકત ઈટલીમાં, મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી