Congress leader Jairam Ramesh: કેન્દ્રીય ગૃહમંત્રી પર આરોપ લગાવવાને લઈ ચૂંટણી પચે કોંગ્રેસ મહાસચિવને ફટકારી નોટીસ
Congress leader Jairam Ramesh: ભારતના ચૂંટણી પંચે (Election Commission) Congress ના મહાસચિવ જયરામ રમેશને નોટીસ આપી છે. કારણ કે... અગાઉ Congress મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મત ગણતરીના થોડા દિવસો પહેલા 150 જિલ્લા મેજિસ્ટ્રેટને ફોન કર્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને પુરાવો સાથે જવાબ માગ્યો છે. તો ભારતના Election Commission એ Congress મહાસચિવ જયરામ રમેશને 2 જૂનની સાંજ સુધીનો સમય આપ્યો હતો.
ચૂંટણી પંચે જયરામ રમેશ પાસેથી 150 DM ની વિગતો માંગી
સત્તાવાળાઓએ કોઈના દબાણમાં ન આવવું જોઈએ
INDIA Alliance તમિલનાડુ અને કેરળમાં સત્તા બનાવશે
Congress મહાસચિવ રમેશને લખેલા પત્રમાં Election Commission એ કહ્યું કે મત ગણતરીની પ્રક્રિયા દરેક આરઓ પર નક્કી કરવામાં આવેલી ફરજ છે. એક વરિષ્ઠ, જવાબદાર અને અનુભવી મહાસચિવ દ્વારા આવા જાહેર નિવેદનો શંકા પેદા કરે છે. મીડિયા અહેવાલો અનુસાર, કોઈ DM એ અનુચિત પ્રભાવની જાણ કરી નથી. Election Commission એ જયરામ રમેશ પાસેથી 150 DM ની વિગતો અને માહિતી માંગી છે.
Election Commission seeks factual information and details from Congress leader Jairam Ramesh for his public statement, through a post on his social media handle, alleging calls made by the Home Minister to 150 DMs just days before the scheduled counting of votes.
EC has sought… pic.twitter.com/129N2yLlYM
— ANI (@ANI) June 2, 2024
સત્તાવાળાઓએ કોઈના દબાણમાં ન આવવું જોઈએ
જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી અમિત શાહ DM અને Collector ને ફોન કરી રહ્યા છે. તેમણે તેને ભાજપની હતાશા ગણાવી હતી. તેમણે કહ્યું કે અધિકારીઓએ ધમકીઓના દબાણમાં ન આવવું જોઈએ. અત્યાર સુધીમાં તેમણે 150 લોકો સાથે વાત કરી છે. 4 જૂને પીએમ મોદી, અમિત શાહ અને ભાજપ સત્તામાંથી બહાર થઈ જશે અને ભારત ગઠબંધન વિજયી થશે. સત્તાવાળાઓએ કોઈના દબાણમાં ન આવવું જોઈએ અને બંધારણને જાળવી રાખવું જોઈએ.
INDIA Alliance તમિલનાડુ અને કેરળમાં સત્તા બનાવશે
જોકે છેલ્લા તબક્કાના મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA સરકાર બનાવી રહી છે. તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ને પ્રચંડ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. તેમાંથી INDIA Alliance તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલે તેવી અપેક્ષા છે. આ સાથે કર્ણાટક ફરીથી એકતરફી જીત હાંસલ કરશે, તેવી આગાહી પણ કરવામાં આવી છે. ભાજપે પોતાના ગઠબંધન માટે '400 પાર'નો નારો આપ્યો હતો. હાલમાં ત્રણ સર્વેમાં ભાજપ+ને 400 કે તેથી વધુ સીટો મળવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: CM Pema Khandu: કોણ છે પેમા ખાંડુ જેણે અરુણાચલ પ્રદેશમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી?