Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bihar Flood: નેપાળે 44 વર્ષ બાદ ખોલ્યા કોસી બેરેજના તમામ ગેટ,બિહારમાં પાણી પાણી

Bihar Flood: નેપાળમાં છેલ્લા કેટલાક દિવસથી સતત મુશળધાર વરસાદ અને રવિવારે નેપાળમાં કોસી બેરેજના 56 દરવાજા ખોલ્યા પછી, બિહારમાં કોસી નદીમાં (Bihar Flood)વધારો થયો છે અને ઘણા જિલ્લાઓમાં પૂરનો ભય છે. કોસી બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા બાદ રવિવારે...
09:26 AM Jul 09, 2024 IST | Hiren Dave

Bihar Flood: નેપાળમાં છેલ્લા કેટલાક દિવસથી સતત મુશળધાર વરસાદ અને રવિવારે નેપાળમાં કોસી બેરેજના 56 દરવાજા ખોલ્યા પછી, બિહારમાં કોસી નદીમાં (Bihar Flood)વધારો થયો છે અને ઘણા જિલ્લાઓમાં પૂરનો ભય છે. કોસી બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા બાદ રવિવારે 3 લાખ 94 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ કોસી નદીનું જળસ્તર વધી ગયું છે અને ઘણા ગામોમાં પૂરના પાણી પહોંચી ગયા છે. જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે.

બિહારના આ જિલ્લાઓમાં પૂરનો ખતરો

કોસી નદીમાં પાણીનું સ્તર વધ્યા પછી સુપૌલ, સહરસા અને મધેપુરા જેવા જિલ્લાઓમાં પૂરનું જોખમ વધી ગયું છે. બિહાર માટે મુશ્કેલી એ છે કે આ વખતે જુલાઈ મહિનામાં જ કોસી નદીમાં પાણીનું સ્તર જબરજસ્ત વધી ગયું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 44 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે જુલાઈ મહિનામાં કોસી બેરેજમાંથી અંદાજે 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

 

પૂરથી બચવા લોકો સલામત સ્થળે પહોંચી રહ્યા છે

સુપૌલ, સહરસા અને મધેપુરા જિલ્લામાં સ્થિતિ એવી છે કે નદીની અંદર સ્થિત સેંકડો ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત ઊંચા સ્થળોએ પહોંચી રહ્યા છે.

પ્રશાસન લોકોને સલામતી માટે ચેતવણી આપી રહ્યું છે

કોસી નદીમાં જે રીતે જળસ્તર વધી રહ્યું છે તેને લઈને સુપૌલ, સહરસા અને મધેપુરા જિલ્લામાં વહીવટીતંત્ર લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચવા માટે સતત ચેતવણી આપી રહ્યું છે. બીજી તરફ ઉત્તર બિહારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે.

150 ખેડૂતોને બચાવી લેવાયા હતા

નેપાળમાં સતત વરસાદ બાદ આવેલા પૂરના કારણે યુપીની મુશ્કેલીઓ પણ વધી છે. પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો ભય છે. બગાહામાં ખેતરોમાં કામ કરવા ગયેલા 150 ખેડૂતો પૂરમાં ફસાયા હતા. જોકે, સદનસીબે કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ખેડૂતોનો આબાદ બચાવ થયો હતો.

નેપાળમાં પૂર અને વરસાદને કારણે સ્થિતિ વણસી છે

નેપાળમાં કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર જેવા શહેરો સંપૂર્ણપણે ડૂબી ગયેલા જોવા મળે છે. કાઠમંડુના રસ્તાઓ જ્યાં વાહનો ઝડપથી દોડતા જોવા મળતા હતા ત્યાં હવે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓથી ધમધમતું કાઠમંડુ આ દિવસોમાં ઉજ્જડ દેખાઈ રહ્યું છે. સતત વરસાદને કારણે નેપાળના ઘણા જિલ્લાઓએ શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ લાગે છે, મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ બાદ થયેલા અકસ્માતો અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે.

આ પણ  વાંચો  - Mumbai માં નવ કલાકમાં 101.8 mm વરસાદ, IMD એ રેડ એલર્ટ જાહેર કર્યું…

આ પણ  વાંચો  - India – Russia : રશિયન આર્મીમાં કામ કરતા તમામ ભારતીયો પરત આવશે, પુતિનના નિવાસ્થાને બેઠક…

આ પણ  વાંચો  - Jammu and Kashmir : કાશ્મીર ટાઈગર્સે સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી, જૈશ સાથે છે કનેક્શન…

Tags :
All gatesbarrageBeetlesBihar FloodBIhar NewsBihar-Nepaldistrictsfloodflood newsInsectsKhadakwasla Damkosi spatelakhMonsoonopenedPuneStag beetleVarasgaon Damwater levelWater storage
Next Article