અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, SEBI એ લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ, 25 કરોડનો દંડ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL)ના પૂર્વ CEO અને અન્ય 24 સંસ્થાઓ પર કંપનીમાંથી ભંડોળના ડાયવર્ઝન બદલ 5 વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે. SEBIએ અનિલ અંબાણી પર 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમને કોઈપણ લિસ્ટેડ કંપની અથવા કોઈપણ રજિસ્ટર્ડ મધ્યસ્થીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સન (KMP) તરીકે સિક્યોરિટી માર્કેટ સાથે જોડાવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય, SEBIએ RHFL પર 6 મહિના માટે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધ મૂક્યો છે અને 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અનિલ અંબાણી પર લોનના દુરુપયોગનો આક્ષેપ
SEBIના 222 પાનાના અંતિમ આદેશ મુજબ, અનિલ અંબાણીએ RHFLના મુખ્ય સંચાલકીય કર્મચારીઓ સાથે મળીને RHFLમાંથી ભંડોળને તેની સંલગ્ન સંસ્થાઓને લોન તરીકે છૂપાવવાનું કપટપૂર્ણ કાવતરું ઘડ્યું હતું. ભલે RHFLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આવા ગેરકાયદેસર ધિરાણને રોકવા માટે કડક આદેશો આપ્યા હતા, પરંતુ મેનેજમેન્ટ દ્વારા આ આદેશોની અવગણના કરવામાં આવી હતી. રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર, આ દર્શાવે છે કે કામકાજની રીતમાં એક મોટી ભૂલ હતી, જે અનિલ અંબાણીના પ્રભાવ હેઠળ કેટલાક મુખ્ય સંચાલકીય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સંજોગોને જોતાં, RHFL કંપનીને છેતરપિંડીમાં સંડોવાયેલા લોકો જેટલી જ જવાબદાર ઠેરવવી જોઈએ નહીં. વધુમાં, બાકીની સંસ્થાઓએ કાં તો ગેરકાયદેસર રીતે મેળવેલી લોનના પ્રાપ્તકર્તા તરીકે અથવા RHFLમાંથી ગેરકાયદેસર રીતે ભંડોળને ડાયવર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં ભૂમિકા ભજવી છે, એમ નિયમનકારે જણાવ્યું હતું.
SEBI bans Industrialist Anil Ambani, 24 other entities, including former officials of Reliance Home Finance from the securities market for 5 years for diversion of funds, imposes fine of Rs 25 cr on Anil Ambani pic.twitter.com/XYXk21pqz2
— ANI (@ANI) August 23, 2024
અનિલ અંબાણીએ કર્યો પદનો દુરૂપયોગ
SEBI ના તારણો અનુસાર, અનિલ અંબાણીએ RHFLના KMPની મદદથી ભંડોળ ઉપાડવા માટે કાવતરું ઘડ્યું હતું અને પછી આ ભંડોળને અનિલ અંબાણી સાથે સંકળાયેલી સંસ્થાઓને લોન તરીકે આપવામાં આવ્યું હતું. અનિલ અંબાણીએ ADA ગ્રૂપના અધ્યક્ષ તરીકે તેમના પદ અને RHFLની હોલ્ડિંગ કંપનીમાં તેમના પરોક્ષ શેર્સનો ઉપયોગ કરીને આ છેતરપિંડી કરી હતી.
કંપનીના કડક આદેશોની અવગણના
SEBI ના આદેશ મુજબ, RHFLના મેનેજમેન્ટે એવી કંપનીઓને કરોડો રૂપિયાની લોન મંજૂર કરી હતી જેમની પાસે કોઈ નાણાંકીય સ્ત્રોત, આવક કે નેટવર્થ ન હતી. આ લોનને અસલ હેતુથી મંજૂર કરવામાં આવી હતી. SEBIએ જણાવીને કહ્યું કે RHFLની લોન લેનારાઓમાંના ઘણા RHFLના પ્રમોટરો સાથે સંકળાયેલા હતા.
RHFLના શેરધારકોની મુશ્કેલી
SEBIએ જણાવ્યું છે કે ઘણા લોન લેનારાઓ લોન પરત કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે RHFL પોતાના દેવામાં ડિફોલ્ટ થયું હતું. આ પરિસ્થિતિ RHFLના શેરધારકો માટે ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે. ઉદાહરણ તરીકે, માર્ચ 2018માં RHFLના શેરની કિંમત 59.60 રૂપિયા હતી, જે માર્ચ 2020માં ઘટીને 0.75 રૂપિયા થઈ ગઈ હતી. હાલ પણ 9 લાખથી વધુ લોકોએ RHFLમાં રોકાણ કર્યું છે અને તેઓ ભારે નુકસાન સહન કરી રહ્યા છે.
SEBI bans Industrialist Anil Ambani, and 23 entities associated with him for trading in stock markets for 5 years
Read @ANI Story | https://t.co/v352X2Zsio#SEBI #AnilAmbani #Stocks pic.twitter.com/Fx4Hf68R72
— ANI Digital (@ani_digital) August 23, 2024
SEBIના આદેશથી રિલાયન્સ ગ્રૂપ પર આંચકો
SEBIએ અનિલ અંબાણી સહિત રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL)ના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ્સ અમિત બાપના, રવિન્દ્ર સુધલકર અને પિંકેશ આર. શાહ પર પણ દંડ ફટકાર્યો છે. અનિલ અંબાણી પર 25 કરોડ, બાપના પર 27 કરોડ, સુધલકર પર 26 કરોડ, અને શાહ પર 21 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. આ સિવાય, અન્ય સંસ્થાઓ પર પણ રૂ. 25-25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. SEBIએ જણાવ્યું કે આ દંડ ગેરકાયદેસર લોન મેળવવા અને RHFLમાંથી ભંડોળના ગેરકાયદે પરિવર્તનમાં ભાગ લેનારા માટે લગાવવામાં આવ્યો છે. SEBIએ ફેબ્રુઆરી 2022માં એક વચગાળાનો આદેશ જારી કર્યો હતો, જેમાં RHFL, અનિલ અંબાણી અને અન્યને કંપનીમાંથી ભંડોળના ગેરકાયદે પરિવર્તન બદલ સિક્યોરિટી માર્કેટમાં પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Supreme Court: કેજરીવાલને હજું પણ રહેવું પડશે જેલમાં...