Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aatmnirbhar Bharat : અશ્વિની વૈષ્ણવે કહ્યું- દેશમાં મોબાઈલનું ઉત્પાદન 22 ગણું વધ્યું, 12 લાખ નોકરીઓનું સર્જન

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ દેશે 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ મોબાઈલ ફોન ઉત્પાદનના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે ભારતે મોબાઈલ ફોન ઉત્પાદનના ક્ષેત્રમાં 22 ગણો વિકાસ...
aatmnirbhar bharat   અશ્વિની વૈષ્ણવે કહ્યું  દેશમાં મોબાઈલનું ઉત્પાદન 22 ગણું વધ્યું  12 લાખ નોકરીઓનું સર્જન

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ

Advertisement

દેશે 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ મોબાઈલ ફોન ઉત્પાદનના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે ભારતે મોબાઈલ ફોન ઉત્પાદનના ક્ષેત્રમાં 22 ગણો વિકાસ હાંસલ કર્યો છે.

વૈષ્ણવે એમ પણ કહ્યું કે આના દ્વારા 12 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થયું છે. તેમણે પોસ્ટમાં ગ્રાફિક્સ પણ શેર કર્યા છે, જે 2014-15માં રૂ. 18,900 કરોડનું ઉત્પાદન દર્શાવે છે, જે ધીમે ધીમે વધીને 2023-24માં રૂ. 4,16,700 કરોડ થઈ ગયું છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા 99 ટકાથી વધુ મોબાઈલ ફોન દેશમાં જ બને છે.

Advertisement

જ્યારે એક દાયકા પહેલા સુધી 98 ટકા મોબાઈલ ફોન આયાત કરવામાં આવતા હતા. વૈષ્ણવે RBIના ભૂતપૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન પર તેમના નિવેદન માટે કટાક્ષ કર્યો હતો કે ભારતમાં મોબાઈલનું ઉત્પાદન થતું નથી.તેમણે કહ્યું હતું કે રઘુરામ રાજન ભવિષ્યમાં ચિદમ્બરમ બનવા માંગે છે. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ પ્રામાણિકતા ગુમાવે છે અને અન્ય માટે રમતા રમતા રાજકારણી બનવાની કોશિશ કરે છે, મેદાનમાં પ્રવેશ્યા વિના, તે પાખંડ છે.

આ પણ વાંચો -- Parliament Security Breach : લોકોનો ‘Twitter Boy…, 2 વર્ષ પહેલાં અચાનક ગાયબ’, જાણો પિતાએ લલિત ઝા વિશે શું કહ્યું…

Advertisement

Tags :
Advertisement

.