Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છેલ્લા એક દાયકામાં 53.13 કરોડ જનધન ખાતા ખોલાયા, નવા વર્ષમાં 3 કરોડથી વધુનો લક્ષ્યાંક : નાણામંત્રી નિર્મલા સીતારમણ

PMJDY: 10 વર્ષમાં 53.13 કરોડ ખાતા ખોલાયા કુલ 2.3 લાખ કરોડ રૂપિયા જમા 3 કરોડથી વધુ નવા PMJDY ખાતા ખોલવાનો લક્ષ્યાંક PMJDY : નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) મંગળવારે જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં 53.13 કરોડ જનધન...
છેલ્લા એક દાયકામાં 53 13 કરોડ જનધન ખાતા ખોલાયા  નવા વર્ષમાં 3 કરોડથી વધુનો લક્ષ્યાંક   નાણામંત્રી નિર્મલા સીતારમણ
  • PMJDY: 10 વર્ષમાં 53.13 કરોડ ખાતા ખોલાયા
  • કુલ 2.3 લાખ કરોડ રૂપિયા જમા
  • 3 કરોડથી વધુ નવા PMJDY ખાતા ખોલવાનો લક્ષ્યાંક

PMJDY : નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) મંગળવારે જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં 53.13 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં કુલ 2.3 લાખ કરોડ રૂપિયા જમા છે. PMJDY (પ્રધાનમંત્રી જન ધન યોજના) ની 10મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ પત્રકારોને સંબોધતા સીતારમણે જણાવ્યું કે, “અમારા લક્ષ્ય મુજબ, હાલના નાણાકીય વર્ષ દરમિયાન 3 કરોડથી વધુ નવા PMJDY ખાતા ખોલવાનો છે.”

Advertisement

ઓપરેટિવ ખાતાઓની વૃદ્ધિ

પ્રધાનમંત્રી જન ધન યોજનાના શ્રેષ્ઠ પરિણામો દર્શાવતા, સીતારમણે જણાવ્યું કે PMJDY એ વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશ યોજના છે. માર્ચ 2015માં, એકાઉન્ટ દીઠ સરેરાશ બેલેન્સ 1,065 રૂપિયા હતું, જે હવે વધીને 4,352 રૂપિયા થઇ ગયું છે. હાલમાં, 80 ટકા ખાતાઓ સક્રિય છે અને ગ્રામીણ તેમજ અર્ધ-શહેરી વિસ્તારોમાં 66.6 ટકા ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં 55.6 ટકા છે જેમાં મહિલાઓ છે.

Advertisement

PMJDY ખાતાઓનો વ્યાપક ઉપયોગ

સીતારમણે જણાવ્યું કે PMJDY ખાતાઓનો ઉપયોગ વ્યાપકપણે થાય છે. તેમને 8.4 ટકા ખાતાઓમાં ઝીરો બેલેન્સ હોવા છતાં, આ યોજનામાં લોકો મોટા પાયે પૈસા જમા કરે છે. 'પ્રધાનમંત્રી જન ધન યોજના', 28 ઓગસ્ટ, 2014 માં શરૂ કરવામાં આવી હતી, જે સૌથી ગરીબ લોકો માટે ઝીરો બેલેન્સ બેંક ખાતા ખોલવાનું લક્ષ્ય ધરાવે છે.

આગામી વર્ષ માટેની યોજનાઓ

સીતારમણે ઉમેર્યું કે 14 ઓગસ્ટ, 2024 સુધીમાં દેશભરમાં 173 કરોડથી વધુ ઓપરેટિવ કરંટ અને સેવિંગ્સ એકાઉન્ટ્સ હોવાની અપેક્ષા છે, જેમાં 53 કરોડથી વધુ PMJDY એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે આ યોજનાઓ, જેમ કે મનરેગા પગાર, ઉજ્જવલા યોજના, અને COVID-19 માટેના સહાયકારક પગલાં, મોદી સરકારની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Advertisement

આ પણ વાંચો:  મુશ્કેલીમાં Paytm! વિજય શેખર શર્માને SEBI ની નોટિસ, શેરમાં ભારે ઘટાડો

Tags :
Advertisement

.