Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Gandhi એ રાયબરેલીથી ભર્યું નામાંકન, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રહ્યા હાજર...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાયબરેલીથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા બાદ આજે તેમનું નામાંકન ભર્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)ની સાથે માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા રાહુલ ગાંધી...
rahul gandhi એ રાયબરેલીથી ભર્યું નામાંકન  સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રહ્યા હાજર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાયબરેલીથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા બાદ આજે તેમનું નામાંકન ભર્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)ની સાથે માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાયબરેલીમાં રોડ-શો પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, રાયબરેલીમાં પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થવાનું છે. આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી.

Advertisement

રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહનો પડકાર છે. કોંગ્રેસના પૂર્વ નેતા દિનેશ પ્રતાપ સિંહ 2018 માં ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ ભાજપે તેમને સોનિયા ગાંધી સામે ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, દિનેશ પ્રતાપ સિંહ 1.5 લાખથી વધુ મતોથી ચૂંટણી હારી ગયા હતા. તેમ છતાં ભાજપે તેમને ફરીથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ વખતે રાયબરેલીમાં સ્પર્ધા ત્રિકોણીય બની છે. અહીંથી બસપાએ ઠાકુર પ્રસાદ યાદવને પણ મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement

સોનિયા ગાંધી 2004 થી રાયબરેલીથી સાંસદ છે...

2004 માં સોનિયા ગાંધીએ પહેલીવાર રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમણે SP ના અશોક કુમાર સિંહને 2,49,765 મતોથી હરાવ્યા હતા. આ પછી 2006 ની પેટાચૂંટણીમાં તેમણે SP ના રાજકુમારને 4 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. 2009 ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીનો સામનો બસપાના ઉમેદવાર આરએસ કુશવાહ સાથે થયો હતો. આમાં પણ સોનિયા ગાંધી 3,72,165 મતોથી જીત્યા હતા. 2014 માં સોનિયા ગાંધીએ ભાજપના અજય અગ્રવાલને 3,52,713 મતોથી હરાવ્યા હતા. 2019 માં ભાજપના દિનેશ પ્રતાપ સિંહને સોનિયા ગાંધીએ 1,67,178 મતોથી હરાવ્યા હતા.

Advertisement

આવું છે જ્ઞાતિનું સમીકરણ...

રાયબરેલી સીટના જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો અહીં 11 ટકા બ્રાહ્મણોની વસ્તી છે. લગભગ 9 ટકા રાજપૂત અને 7 ટકા યાદવ વર્ગના છે. અહીં દલિત મતદારો સૌથી વધુ 34 ટકા છે. તે જ સમયે, મુસ્લિમોને 6 ટકા, લોધીને 4 ટકા અને કુર્મીને 4 ટકા મત છે. અન્ય જ્ઞાતિ વર્ગના મતદારો લગભગ 23 ટકા છે.

આ પણ વાંચો : PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- મેં પહેલાથી જ કહ્યું હતું કે બે સીટો પર ચૂંટણી લડશે Rahul Gandhi…

આ પણ વાંચો : Covishield પરના હોબાળા વચ્ચે Covaxin બનાવનાર કંપનીનું આવ્યું નિવેદન, કહ્યું- અમારી રસી…

આ પણ વાંચો : Shiv Sena નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર થયું ક્રેશ, Video Viral

Tags :
Advertisement

.