Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi: ‘મોદી ત્રીજી વખત પીએમ બનશે તો હું માથું મુંડાવીશ’ સોમનાથ ભારતી તો હવે ફરી ગયા

Delhi: લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર માટે ખાસ કરીને નરેન્દ્ર મોદીની હાર માટે ઘણા લોકો રાહ જોઈને બેઠા હતાં. પરંતુ પરિણામ કંઈક અલગ જ આવ્યું છે. નરેન્દ્ર મોદી વારાણસીથી 1,52,513 મતોની લીડથી જીત્યા છે. એ પણ હકીકત છે કે,...
delhi   ‘મોદી ત્રીજી વખત પીએમ બનશે તો હું માથું મુંડાવીશ’ સોમનાથ ભારતી તો હવે ફરી ગયા

Delhi: લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર માટે ખાસ કરીને નરેન્દ્ર મોદીની હાર માટે ઘણા લોકો રાહ જોઈને બેઠા હતાં. પરંતુ પરિણામ કંઈક અલગ જ આવ્યું છે. નરેન્દ્ર મોદી વારાણસીથી 1,52,513 મતોની લીડથી જીત્યા છે. એ પણ હકીકત છે કે, 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીના પરિણામ કરતા આવતે તેઓ ખુબ ઓછા માર્જિનથી જીત્યા છે. ‘નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો હું મુંડન કરાવી લઈશ’ તેવું આમ આદમી પાર્ટી (Delhi)ના નેતા સોમનાથ ભારતીએ કહ્યું હતું . તમને જણાવી દઇએ કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેનું એલાન થઈ ગયું છે. હવે તેઓ પોતાના આ નિવેદન પરથી ફરી ગયા છે.

Advertisement

મતગણતરી પહેલા જ સોમનાથ ભારતીએ આપ્યું હતું નિવેદન

તમને જણાવી દઇએ કે, મતગણતરી પહેલા જ આપ નેતા (Delhi) સોમનાથ ભારતીએ નરેન્દ્ર મોદીને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. પરંતુ અત્યારે જ્યારે હવે તેઓ એટલે કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તો હવે સોમનાથ ભારતી પોતાના જ નિવેદન પરથી ફરી ગયા છે. તેમણે અત્યારે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીએ 400 પારનો નારો આપ્યો હતો. પરંતુ જનતાએ તેમને 240 બેઠકો આપી છે. તો જનતાએ તેમને વડાપ્રધાન બનવા માટે બહુમત આપ્યું નથી. તો તેમણે હવે રાજીનામું આવીને જતા રહેવું જોઈએ.’

Advertisement

NDA એ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન આપ્યું

લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે સરકાર બનાવશે. નોંધનીય છે કે, આ પહેલા 17 મી લોકસભા ચૂંટણીમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી હતી, જો કે, 18 મી લોકસભા એટલે કે, 2024 ની ચૂંટણીમાં બીજેપી માત્ર 240 બેઠકો જ મળી છે. નોંધનીય છે કે, અત્યારે નીતિશ કુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ એનડીએને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે. આ સાથે સાથે NDA એ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન આપ્યું છે. આ સાથે સાથે એનડીએના નેતા કરીકે પણ નરેન્દ્ર મોદીને સમર્થન આપવા માટે 21 સભ્યોએ હસ્તાક્ષર કરી દીધા છે.

બીજેપીએ સૌથી વધારે 240 બેઠકો પર પોતાની જીત કાયમ રાખી

નોંધનીય છે કે, આગામી 8 તારીકે નરેન્દ્ર મોદી ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. જવાહલાલ નહેરૂ બાદ નરેન્દ્ર મોદી બીજા એવા નેતા છે જે, ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. એક વાત એ પણ છે કે, આ વખતે ગઠબંધનની સરકાર બની રહીં છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે 240 બેઠકો પર પોતાની જીત કાયમ રાખી છે

Advertisement

આ પણ વાંચો: Loksabha Election Result 2024: નીતિશ અને નાયડૂ નહીં પરંતુ આ 17 સાંસદો સરકારનું ભવિષ્ય નક્કી કરી શકે!

આ પણ વાંચો: Arvind Ladani: પોરબંદર અને વાઘોડિયા સહિત માણાવદરમાં પણ ભાજપે કર્યો કેસરિયા, અરવિંદ લાડાણીની ભવ્ય વિજય

આ પણ વાંચો: Parasottam Rupala : ચૂંટણી પરિણામ બાદ ગુજરાતની રાજનીતિમાં હલચલ તેજ, દિલ્હીમાં મહામંથન!

Tags :
Advertisement

.