Jammu and Kashmir : DPAP ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદ નહીં લડે ચૂંટણી...
ગુલામ નબી આઝાદે જાહેરાત કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. અગાઉ, તેમની પોતાની પાર્ટી DPAP (ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી)એ તેમને અનંતનાગ (Anantnag) બારામુલ્લા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જ્યાંથી તેમણે હવે પોતાનું નામ પાછું ખેંચ્યું છે.
ગુલામ નબી આઝાદે અનંતનાગ (Anantnag)માં પાર્ટીની બેઠકમાં લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. હવે આ સીટ પર નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે સીધો મુકાબલો થશે. ભાજપે હજુ સુધી અહીં પોતાના પત્તાં ખોલ્યા નથી. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ (Jammu)માં કહ્યું કે ભાજપને કાશ્મીર (Kashmir)માં કોઈ ઉતાવળ નથી.
'ભાજપને હારનો અહેસાસ'
ભાજપે ઉમેદવાર ન ઉતારવા પર જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના પૂર્વ મુખ્યમંત્રી અને બારામુલાથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે ભાજપને કાશ્મીરમાં પોતાની હારનો અહેસાસ છે, તેથી તે ચૂંટણી લડી રહી નથી. થોડા દિવસો પહેલા ઓમર અબ્દુલ્લાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને તેના પર દેશની સાંપ્રદાયિક સૌહાર્દને 'નષ્ટ' કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં DPAP જમ્મુ અને કાશ્મીરમાં બિનસાંપ્રદાયિક મતોનું વિભાજન કરવામાં ભાજપને મદદ કરી રહ્યું છે. અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર ચૌધરી લાલ સિંહના પ્રચાર માટે રોડ શોમાં ભાગ લીધો હતો.
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના મુખ્યમંત્રી પણ હતા...
એક સમયે કોંગ્રેસના સૌથી શક્તિશાળી નેતાઓમાં ગણાતા ગુલામ નબી આઝાદ 2005 થી 2008 સુધી જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના મુખ્યમંત્રી પણ હતા. 26 ઓગસ્ટ 2022 ના રોજ, તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું.
આ પણ વાંચો : Naxalite Encounter : કાંકેર એન્કાઉન્ટર પર અમિત શાહે કહ્યું- દેશમાંથી નક્સલવાદને જડમૂળથી ઉખાડીશું…
આ પણ વાંચો : Nomination Affidavit : BJP ની આ મહિલા ઉમેદવાર પાસે તમે ગણી નહીં શકો તેટલી સંપત્તિ…
આ પણ વાંચો : CM યોગી આદિત્યનાથે ‘રામ નવમી’ પર નાની છોકરીઓના પગ ધોયા, જુઓ Video
આ પણ વાંચો : Ram Navami 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને નિહાળ્યું રામ લલ્લાનું ‘સૂર્ય તિલક’