જે રીતે ડાયનોસોર લુપ્ત થઇ ગયા તેવી જ રીતે Congress પણ... જાણો કોણે કરી આ ટિપ્પણી
લોકસભાની ચૂંટણી (Lok Sabha election) ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે નેતાઓના એકબીજા પર શાબ્દિક પ્રહારો (Verbal Attacks) વધી ગયા છે. તમામ પક્ષ પોતાને જનતાનો સેવક ગણાવીને પોતાને જીત અપાવવા અપીલ કરી રહ્યા છે. આ દિશામાં ભાજપનો ચૂંટણી પ્રચાર (BJP's Election Campaign) તેજ ગતિએ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) થી લઇને પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાને ઉતરી ગયા છે. ત્યારે ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં એક રેલીને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) કોંગ્રેસ (Congress) પર જોરદાર નિશાન સાધ્યું છે.
ડાયનોસોરની જેમ લુપ્ત થઇ જશે Congress પાર્ટી
રક્ષા મંત્રીએ કહ્યું કે, થોડા વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી (Congress Party) પણ ડાયનાસોર (Dinosaurs) ની જેમ લુપ્ત થઈ જશે. તેમણે કોંગ્રેસની અંદરની લડાઈની સરખામણી Television Reality Show "Bigg Boss" ના ઘર સાથે કરી હતી, કહ્યું હતું કે પાર્ટીના નેતાઓ રોજેરોજ એકબીજાના કપડા ફાડી રહ્યા છે. તેમણે ટોણો મારતા કહ્યું કે, કોંગ્રેસ (Congress) હવે સુસ્ત થઈ ગઈ છે. હવે તેની પાસે પર્વતો પર ચડવાની તાકાત રહી નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી નેતાઓનું પલાયન ચાલુ છે. એક પછી એક તેઓ પાર્ટી છોડીને ભાજપ (BJP) માં જોડાઈ રહ્યા છે. મને ડર છે કે હવેથી થોડા વર્ષોમાં કોંગ્રેસ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે.
पहाड़ चढ़ने की कूबत अब कांग्रेस के पास नही बची है, यह काम बस भाजपा ही कर सकती है… pic.twitter.com/KCRSRoyulW
— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) April 12, 2024
રાજનાથ સિંહે કહ્યું, સ્વતંત્ર ભારતનું પહેલું કૌભાંડ જીપ કૌભાંડ કોંગ્રેસના સમયમાં થયું હતું. કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચારના કારણે મંત્રીને પણ જેલમાં જવું પડ્યું હતું. 2019 સુધી, ઉત્તરાખંડમાં 100 પરિવારોમાંથી માત્ર 9 પાસે જ પાઈપ દ્વારા પાણીની સુવિધા હતી. 2019 સુધી, ઉત્તરાખંડમાં 100 માંથી 9 પરિવારોના ઘરોમાં પાઈપ દ્વારા પાણીની સુવિધા હતી. આજે, ઉત્તરાખંડમાં 100 માંથી 90 પરિવારો તેમના ઘરોમાં નળમાં પાણી જુએ છે.
રાજનાથ સિંહે PM ના કર્યા વખાણ
રાજનાથ સિંહે કહ્યું કે, હું દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ભૂમિને નમન કરું છું. ગઢવાલથી કુમાઉના અંત સુધી, ઉત્તરાખંડનો દરેક ભાગ ભગવાનના આશીર્વાદથી ધન્ય છે. આ દેવભૂમિ વીરભૂમિ છે. આ રાજ્યના લોકો ભારતીય સેનામાં ફરજ બજાવે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનની પ્રશંસા કરતા કહ્યું કે દુનિયામાં કોઈ પણ મોદી સરકારના કોઈપણ મંત્રી પર આંગળી ઉઠાવી શકે નહીં. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ગૌચરમાં જનસભાને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે, આ દેશની સરકાર મોદીજીના નેતૃત્વમાં ચાલી રહી છે તેને 10 વર્ષ થઈ ગયા છે. ભારત, શું દુનિયામાં કોઈ વ્યક્તિ આંગળી ચીંધીને કહી શકે નહીં કે છેલ્લા 10 વર્ષમાં મોદીજીની સરકારના કોઈ મંત્રી પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લાગ્યો નથી?
#WATCH | ''I was not given parole to attend my mother's last rites during the Emergency, and now Congress call us dictators," Defence Minister Rajnath Singh reveals the untold story of the 1975 Emergency. pic.twitter.com/cvgoQ0KMoi
— ANI (@ANI) April 11, 2024
ઈમરજન્સીને યાદ કરી ભાવુક થયા રાજનાથ સિંહ
ઈમરજન્સી સમયે મને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો, ત્યારે મારા માતાની તબિયત ખરાબ થઇ હતી અને તેમને બ્રેઈન હેમ્રેજ થઇ ગયું હતું. તેમને 27 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા પણ મને તેમને જોવા માટે પણ રજા ન આપવમાં આવી, મને પે રોલ પણ ન આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે, 'હું મારી માતાને તેમના છેલ્લા દિવસોમાં મળી શક્યો ન હતો, જ્યારે તે 27 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા.' રાજનાથ સિંહે ANI પોડકાસ્ટમાં કહ્યું, 'જે લોકો ઈમરજન્સી દ્વારા તાનાશાહી કરી તેઓ આજે અમારા પર તાનાશાહીનો આરોપ લગાવી રહ્યા છે.'
આ પણ વાંચો - Rajnath Singh Interview : ભારત પાકિસ્તાનની મદદ કરવા તૈયાર છે!, રાજનાથ સિંહે આવું શા માટે કહ્યું…
આ પણ વાંચો - રાહુલ ગાંધી- લાલુ યાદવ મુગલો જેવા છે, શ્રાવણ મહિનામાં પણ મટન ખાય છે અને હિન્દુત્વની વાતો કરે છે