શું તમને Vitamin B-12 ની ઉણપને કારણે ઊંઘ નથી આવતી? તો જાણો રિપોર્ટ શું કહે છે
- વિટામિન B-12 આપણા શરીર માટે સૌથી મહત્વપૂર્ણ વિટામિન
- તેની ઉણપને કારણે, શરીરમાં પ્રોટીન, આયર્ન અને અન્ય વિટામિન જેવા ઘણા તત્વોની ઉણપ થઈ શકે છે
- વિટામિન B-12 ની ઉણપ પણ અનિદ્રાનું કારણ બની શકે છે
Vitamin B-12 Deficiency: આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રકારના વિટામિન અને પોષક તત્વોની જરૂર પડે છે. વિટામિન B-12 આપણા શરીર માટે સૌથી મહત્વપૂર્ણ વિટામિન માનવામાં આવે છે. તેની ઉણપને કારણે, શરીરમાં પ્રોટીન, આયર્ન અને અન્ય વિટામિન જેવા ઘણા તત્વોની ઉણપ થઈ શકે છે. તો શું અનિદ્રાનો પણ વિટામિન B-12 સાથે સંબંધ છે? ચાલો સમજીએ.
ઊંઘ અને વિટામિન્સ વચ્ચેનો સંબંધ
જો કોઈ વ્યક્તિ ઓછી ઊંઘ લે છે, તો એવું કહેવાય છે કે, તેના શરીરમાં વિટામિન D અને A ની ઉણપ છે. પરંતુ ફક્ત આ બે જ નહીં, વિટામિન B-12 ની ઉણપ પણ અનિદ્રાનું કારણ બની શકે છે. થાક અને નબળાઈ B-12 ના લક્ષણો છે. આ સંદર્ભમાં, લોકો એમ કહે છે કે વધુ પડતી ઊંઘ એ વિટામિન B-12 ની ઉણપની નિશાની છે, પરંતુ એક આરોગ્ય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઊંઘનો અભાવ એ વિટામિન B-12 ની ઉણપનું પણ સંકેત હોઈ શકે છે.
રિપોર્ટ શું કહે છે?
એક અહેવાલ મુજબ, 2017 અને 2018 ની વચ્ચે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, વિટામિનની ઉણપ અનિદ્રાનું કારણ બની શકે છે, જે ઊંઘ સંબંધિત રોગ છે. આ વિટામિન્સની યાદીમાં વિટામિન B-12નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈના શરીરમાં વિટામિન B-12નું સ્તર ખૂબ ઓછું થઈ જાય તો વ્યક્તિને ઉંઘ નથી આવતી અને જો કોઈના શરીરમાં જરૂર કરતાં વધુ વિટામિન B-12 હોય તો તેને વધુ પડતી ઊંઘ પણ આવી શકે છે. જો કે, રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ઊંઘની આદતોમાં ફેરફાર પાછળનું કારણ વિટામિન B-12 હોય શકે, પરંતુ આવુ દરેકના શરીરમાં શક્ય નથી. B-12 ની સાથે, શરીરમાં મેલાટોનિન અને મેગ્નેશિયમનું પ્રમાણ ઓછું થવાથી પણ ઊંઘ પર અસર પડે છે.
આ પણ વાંચો : આજે દેશભરમાં 'National Youth Day 2025' ની ઉજવણી, જાણો તેનું કારણ, મહત્ત્વ અને ઇતિહાસ
વિટામિન B-12 ની ઓછી માત્રાની અન્ય આડઅસરો
- હાથ અને પગમાં ઝણઝણાટ
- વાળ ખરવાની સમસ્યા
- ત્વચા અને આંખોમાં પીળાશ
- થાક અને નબળાઈ અનુભવવી
- સ્નાયુઓ અને હાડકાંમાં દુખાવો
- રોજબરોજની વસ્તુઓ યાદ રાખવામાં તકલીફ પડવી
ભૂખ ન લાગવી
વિટામિન B-12ની ઉણપને કેવી રીતે દૂર કરવી
- દૂધ અને તમામ પ્રકારની ડેરી વસ્તુઓનું સેવન કરો.
- શિયાળામાં ખજૂર, દૂધ અને બદામ ખાવાથી પણ વિટામિન B-12ની ઉણપ દૂર કરી શકાય છે.
- આ ઋતુમાં ઉપલબ્ધ શાકભાજી જેમ કે મેથી, પાલક અને બથુઆ પણ B-12 ના સ્ત્રોત છે.
- ચિકન, માછલી અને ઈંડા જેવી માંસાહારી વસ્તુઓ પણ વિટામિન B-12 ના ઉત્તમ સ્ત્રોત છે.
આ પણ વાંચો : મકરસંક્રાંતિ, લોહરી, પોંગલ ક્યારે છે? જાણો આ તહેવારોની ઉજવણીની રીત અને મહત્વ