Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi in Gujarat : જામનગર પહોંચ્યા વડાપ્રધાન મોદી, દિવ્યમ સર્કલથી પાયલોટ બંગલા સુધી 'રોડ શો' જેવો માહોલ

મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી સીધો જ સર્કિટ હાઉસ પહોંચ્યો છે.
pm modi in gujarat   જામનગર પહોંચ્યા વડાપ્રધાન મોદી  દિવ્યમ સર્કલથી પાયલોટ બંગલા સુધી  રોડ શો  જેવો માહોલ
Advertisement
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન (PM Modi in Gujarat)
  2. દિવ્યમ સર્કલથી પાયલોટ બંગલા સુધી રોડ શો જેવો માહોલ
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
  4. વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે (PM Modi in Gujarat) છે. પીએમ મોદીનું જામનગરમાં આગમન થયું છે. પીએમ મોદી આવવાનાં હોવાથી દિવ્યમ સર્કલથી પાયલોટ બગલાં સુધી રોડ શો જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી સીધો જ સર્કિટ હાઉસ પહોંચ્યો છે.

આ પણ વાંચો - PM Modi in Gujarat : માર્ચના પ્રથમ પખવાડિયામાં બે વખત ગુજરાત આવશે PM મોદી! વાંચો વિગત

Advertisement

પીએમ મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે (PM Modi in Gujarat) છે. માહિતી અનુસાર, પીએમ મોદી આજે સાંજે જામનગર (Jamnagar) પહોંચ્યા. વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી સીધો જ સર્કિટ હાઉસ પહોંચ્યો છે. પીએમ મોદી આવવાનાં હોવાથી દિવ્યમ સર્કલથી પાયલોટ બગલાં સુધી રોડ શો જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીને જોવા માટે આવ્યા હતા. અગાઉ માહિતી હતી કે પીએમ મોદી નાદુરસ્ત રહેતા જામ સાહેબ સાથે મુલાકાત કરશે. પરંતુ, કોઈ કારણસર જામ સાહેબનાં નિવાસ સ્થાનનો કાર્યક્રમ રદ થયો છે. જણાવી દઈએ કે, પીએમ મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે.

Advertisement

આ પણ વાંચો - Surat : આગની ઘટના બાદ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ

સાસણગીર, સોમનાથ અને વનતારાની મુલાકાત લેશે

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાસણગીર, સોમનાથ અને વનતારાની (Vantara) મુલાકાત લેશે. સાથે જ વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપશે. પીએમ મોદીનાં પ્રવાસને લઈ સુરક્ષાનાં પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. પોલીસ કાફલા સાથે સાસણ (Sasan Gir) સુરક્ષા છાવણીમાં ફેરવાયું છે. ભાલછેલ હેલિપેડથી સિંહસદન સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયા છે. તમામ વાઇલ્ડ લાઈફ અધિકારીઓ પણ સાસણ પહોંચ્યા છે. 3 માર્ચે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી થશે. સિંહોની સુરક્ષા અને સંવર્ધન પ્રોજેક્ટ અંગે મિટિંગ કરાશે. પીએમ મોદીનાં પ્રવાસને લઈ સુરક્ષા કારણોસર પ્રવાસીઓ માટે ગીર સફારી 2 અને 3 માર્ચ બંધ રહેશે.

આ પણ વાંચો - Patidar Andolan : પાટીદાર નેતા, અગ્રણીઓ સામે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવા કોર્ટની મંજૂરી

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : નશાકારક કફ સીરપનું ગેરકાયદે વેચાણ કરતા વેપારીને ત્યાં SOG ના દરોડા

featured-img
Top News

દેશમાં અત્યારે ત્રણેય ઋતુ! ક્યાંક ઠંડી તો ક્યાંક વરસાદની સંભાવના, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

featured-img
ગુજરાત

VADODARA : રૂ. 100 ની લેતીદેતીમાં પેટ્રોલ પંપને બાનમાં લેવાનો પ્રયાસ

featured-img
ગુજરાત

VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી સામે માનવવધનો ગુનો દાખલ

featured-img
આંતરરાષ્ટ્રીય

લો બોલો, હવે પાકિસ્તાનની ફ્લાઈટનું ટાયર હવામાં જ થઇ ગયું ચોરી!

featured-img
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના દાવા વચ્ચે BLA આતંકીઓએ ભર્યુ ભયાનક પગલું! 214 સૈનિક બંધકોને મારી નાખ્યા

×

Live Tv

Trending News

.

×