Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેનેડિયન કોલેજોની મદદથી US માં ભારતીયોની તસ્કરી, ડીંગુચા કેસમાં ED નો ખુલાસો!

ભારતીય નાગરિકોની ગેરકાયદેસર તસ્કરીના કેસમાં Enforcement Directorate (ED)એ મોટું પગલું ભર્યું છે. ED ના તાજેતરના નિવેદન અનુસાર, તે કેનેડાની સરહદ મારફત ભારતીયોની તસ્કરીથી જોડાયેલા મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહી છે.
કેનેડિયન કોલેજોની મદદથી us માં ભારતીયોની તસ્કરી  ડીંગુચા કેસમાં ed નો ખુલાસો
Advertisement
  • કેનેડિયન કોલેજોની મદદથી ભારતીયોની તસ્કરી!
  • અમેરિકામાં ભારતીયોની તસ્કરી મુદ્દે ED એક્ટિવ
  • ડીંગુચાના 4 લોકોના મૃત્યુ સંબંધિત કેસમાં ખુલાસા
  • 2022માં ડિંગુચાનો એક પરિવાર મૃત્યુ પામ્યો હતો
  • ભારતની બે સંસ્થાઓની સંડોવણી અંગેની તપાસ
  • પહેલા કેનેડા અને બાદમાં અમેરિકા મોકલાય છે
  • ભાવેશ પટેલ સહિતના એજન્ટ સામે થઈ છે ફરિયાદ
  • ગેરકાયદે અમેરિકા જવા લોકોને કેનેડામાં પ્રવેશ!

ભારતીય નાગરિકોની ગેરકાયદેસર તસ્કરીના કેસમાં Enforcement Directorate (ED)એ મોટું પગલું ભર્યું છે. ED ના તાજેતરના નિવેદન અનુસાર, તે કેનેડાની સરહદ મારફત ભારતીયોની તસ્કરીથી જોડાયેલા મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં કેનેડાની કેટલીક કોલેજો અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જે ભારતમાંથી લોકોની ગેરકાયદેસર રીતે કેનેડા અને ત્યારબાદ અમેરિકામાં તસ્કરીમાં મદદ કરી રહી હતી.

ડીંગુચા પરિવારના મોતથી શરૂ થયેલો કેસ

આ સમગ્ર મામલો 19 જાન્યુઆરી, 2022ના રોજ ઠંડીના કારણે ડીંગુચા ગામના એક પરિવારના કેનેડા-યુએસ બોર્ડર પાર કરતા મૃત્યુથી શરૂ થયો હતો. અમદાવાદ પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ED એ તપાસ શરૂ કરી હતી. મુખ્ય આરોપી ભાવેશ અશોકભાઈ પટેલ સહિતના અન્યો પર આરોપ છે કે તેઓએ ગેરકાયદેસર માનવ તસ્કરીને સુનિયોજિત રીતે અંજામ આપ્યો હતો. ED ના મતે, આ રેકેટમાં શિક્ષણની ઢાલનો ઉપયોગ કરી, ભારતીય નાગરિકોને કેનેડિયન કોલેજોમાં પ્રવેશ અપાવી અને ત્યારબાદ ગેરકાયદે રીતે યુએસમાં મોકલવામાં આવતાં હતાં.

Advertisement

Advertisement

સ્ટુડન્ટ વિઝાથી US માં ગેરકાયદે પ્રવેશ

ED એ જણાવ્યું કે, આ કાવતરામાં સામેલ ભારતીય નાગરિકોને કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે એડમિશન અપાવવામાં આવતું હતું. તે લોકો કેનેડામાં પહોંચ્યા બાદ કોલેજોમાં હાજર રહેવાના બદલે ગેરકાયદે રીતે US માં પ્રવેશી જતા હતા. આ દરમિયાન, કેનેડિયન કોલેજોને ચૂકવેલી ફી કથિત રીતે વિધાર્થીઓના ખાતામાં પરત કરવામાં આવતી હતી. વધુમાં, આ તસ્કરી માટે એક વ્યક્તિએ 55 લાખથી 60 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

  • 10 અને 19 ડિસેમ્બરે EDએ અનેક સ્થળે કરી રેડ
  • મુંબઈ, નાગપુર, ગાંધીનગર, વડોદરામાં રેડ પાડી હતી
  • મુંબઈ, નાગપુરની સંસ્થાઓની સંડોવણીની તપાસ
  • કમિશનના ધોરણે વિદેશી યુનિવર્સિટી સાથે કરાર
  • બંને સંસ્થા દર વર્ષે અંદાજે 25 હજાર લોકોને મોકલતી હતી
  • ગુજરાતમાં 1700 સહિત કુલ 3500 એજન્ટ સંકળાયેલા
  • હાલમાં 800 એજન્ટ સક્રીય હોવાનો પણ ખુલાસો
  • કેનેડાની 262 કોલેજ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી!

મોટી સંસ્થાઓ અને એજન્ટોનો ખુલાસો

10 અને 19 ડિસેમ્બરના રોજ ED એ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરાના 8 સ્થળોએ દરોડા પાડ્યા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુંબઈ અને નાગપુર સ્થિત સંસ્થાઓ વિદેશી યુનિવર્સિટીઓ સાથે કમિશનના આધાર પર કરાર કરીને દર વર્ષે 25,000થી વધુ વિધાર્થીઓને વિદેશમાં મોકલતી હતી. આ રેકેટમાં 3,500 જેટલા એજન્ટો સંકળાયેલા હોવાની વાત સામે આવી છે, જેમાંથી 1,700 માત્ર ગુજરાતમાં કાર્યરત છે. ED એ વધુમાં જણાવ્યું કે, 262 કેનેડિયન કોલેજોની પણ સંડોવણીની શક્યતા છે, જેના લીધે તેમની પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:  ઘટતી વિશ્વસનીયતા વચ્ચે કેનેડામાં ઘેરાયા PM Justin Trudeau

Tags :
Advertisement

.

×