Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Earthquake News: સૌથી વધારે મુસ્લિમો ધરાવતા દેશમાં ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ

Indonesia Earthquake : વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં બુધવારે (5 ફેબ્રુઆરી) ના રોજ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
earthquake news  સૌથી વધારે મુસ્લિમો ધરાવતા દેશમાં ભયાનક ભૂકંપ  જાણો કેવી છે સ્થિતિ
Advertisement
  • 6.2 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો
  • કોઇ જાનમાલના નુકસાનની માહિતી નથી
  • સુનામીનો ખતરો પણ નહી હોવાનું એજન્સીએ જણાવ્યું

Indonesia Earthquake : વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં બુધવારે (5 ફેબ્રુઆરી) ના રોજ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.2 હતી અને તેનું કેન્દ્રબિંદુ ઉત્તર માલુકુના દરિયાકાંઠે હોવાનું જાણવા મળ્યું છે. ભૂ-ભૌતિક એજન્સી અનુસાર, ભૂકંપ 81 કિલોમીટર (50 માઇલ) ઊંડાઈ પર હતો, અને સુનામીનો કોઈ ભય નથી.

ઇન્ડોનેશિયામાં જ્યારે પણ ભૂકંપ આવે છે, ત્યારે સુનામીનો ભય પણ રહે છે, પરંતુ આ વખતે એવું થયું નહીં. બુધવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો અને લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા. ઇન્ડોનેશિયાની આપત્તિ નિયંત્રણ એજન્સીએ હજુ સુધી કોઈ મોટા નુકસાનની માહિતી આપી નથી.

Advertisement

આ પણ વાંચો : LIVE: PM મોદીએ મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા હાથમાં રાખી લગાવી પવિત્ર ડુબકી,

Advertisement

ઇન્ડોનેશિયા 'રિંગ ઓફ ફાયર' માં સ્થિત છે

ઇન્ડોનેશિયા 'રિંગ ઓફ ફાયર' નામની જગ્યાએ આવેલું છે. જ્યાં પૃથ્વીની ઘણી ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ કારણોસર, આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ સતત ચાલતી રહે છે.

વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ

ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. આ પછી પાકિસ્તાન અને ભારત આવે છે. આ વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. તાજેતરમાં નેપાળ અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો : USA થી 205 ભારતીય ઇમિગ્રન્ટ્સની વતન વાપસી, 40 ગુજરાતીઓનો સમાવેશ; 9 તો માત્ર ગાંધીનગર જિલ્લાના

ઇન્ડોનેશિયામાં ભૂકંપનો જોરદાર આંચકો

ઇન્ડોનેશિયામાં આવેલા આ શક્તિશાળી ભૂકંપથી લોકો ચોક્કસ ડરી ગયા હતા, પરંતુ રાહતની વાત એ છે કે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી અને સુનામીનો ભય પણ ટળી ગયો છે. ઇન્ડોનેશિયા સંવેદનશીલ સ્થાન અને 'રિંગ ઓફ ફાયર' માં હોવાને કારણે, અહીં વારંવાર ભૂકંપ આવે છે, જેના કારણે સ્થાનિક લોકોએ હંમેશા સતર્ક રહેવું પડે છે.

તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે?

ભૂકંપની તીવ્રતા અને સમય માપવા માટે વપરાતા મશીનને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. આ ઉપકરણની મદદથી, પૃથ્વીની અંદર થતા સ્પંદનોનો ગ્રાફ બનાવવામાં આવે છે. આને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. આ આધારે, રિક્ટર સ્કેલ દ્વારા ભૂકંપના મોજાઓની તીવ્રતા, ભૂકંપનું કેન્દ્ર અને ઊર્જા શોધી કાઢવામાં આવે છે.

આ પણ વાંચો : નોએડાની અનેક મોટી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, અફડા તફડીનો માહોલ

Tags :
Advertisement

.

×