PRAN PRATISHTHA :પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ સાથે સમગ્ર દેશમાં સનાતન ધર્મની સુવાસ પ્રસરી
PRAN PRATISHTHA : અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ સાથે સમગ્ર દેશમાં સનાતન ધર્મની સુવાસ પ્રસરી રહી છે. ત્યાં ગુજરાતના માનવ સર્જિત વનરાઈની ધરા એવા તિરૂપતી ઋષિવન દેરોલ ખાતે પણ રામ ભક્તિનો ધાર્મિક માહોલ સર્જાયો છે.
22 જાન્યુઆરી અયોધ્યાની સાથે સાથે ઋષિવન ખાતે પણ રામ ભગવાનના મોહત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું .
ધર્મ અને પર્યાવરણના સમન્વય સાથે 22 જાન્યુઆરીના દીવસે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈની ઉપસ્થિતિમાં ઋષિવન ખાતે જેમ અયોધ્યામાં રામ મંદિરના 550 વર્ષ થયાં છે તેની સાપેક્ષ 551 રોપાઓ વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ
જેની સાથે જીતુભાઈના હસ્તે રામજી ભગવાન અને કૃષ્ણ ભગવાન એમ બંન્ને ભગવાન ના 15 ફૂટના કટ અનાવરણ કરવામાં આવ્યુ .
આજે 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસ રચનારો છે. આજે 500 વર્ષના સંઘર્ષ, તપ, ત્યાગ અને બિલદાન બાદ ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ramotsav) બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના દેશ-વિદેશમાં રહેતા કરોડો રામભક્તો સાક્ષી બન્યા છે. સમગ્ર દેશ રામમય બન્યો છે. આજે વિવિધ રાજ્ય, શહેર અને ગામમાં મહાઆરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં પણ વિવિધ સ્થળે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની (Ram Mandir Pran Pratishtha Mohotsav,) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. અંબાજી નજીક ગબ્બર પર્વત પર આરતી, અમદાવાદમાં (Ahmedabad) શોભાયાત્રા, કાર રેલી, મહેસાણામાં શોભાયાત્રા, ગુજરાત હાઇકોર્ટના વકીલો દ્વારા હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું હતું.
આ પણ વાંચો - રામમય બની Gujarat First ની ટીમ, રામભક્તિમાં સૌ કોઈ થયા મગ્ન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ