Terrible Accident: થરાદના દેવપુરા ગામે નર્મદા કેનાલમાં કાર ખાબકી, 4નાં કરુણ મોત
- થરાદના દેવપુરા ગામે કેનાલમાં કાર ખાબકતા 4નાં મોત
- કારમાં સવાર 3 બાળક અને પુરુષનો મૃતદેહ બહાર કઢાયો
- કેનાલમાં મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે
Banaskantha: થરાદના દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં આજે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક કાર નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી. આ કારમાં સવાર કુલ 5 પેસેન્જર્સમાંથી 4નાં ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 બાળકોનો સમાવેશ થતો હોવાથી આ ઘટનાને પરિણામે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
થરાદ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે
આ દુર્ઘટનાની જાણ થતા જ થરાદ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ કર્મચારીઓએ સ્થાનિકો સાથે મળીને કેનાલમાં રાહત અને બચાવની કામગીરી શરુ કરી દીધી હતી. જો કે ટીમને 4 મૃતદેહ કાઢવામાં સફળતા મળી છે. જેમાં 3 બાળકો અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કર્મચારીઓ 1 મહિલાની કેનાલમાં શોધખોળ કરી રહ્યા છે. કેનાલમાંથી મહામહેનતે કાર બહાર કાઢવામાં આવી છે.
થરાદના દેવપુરા ગામે કેનાલમાં કાર ખાબકતા 4ના મોત
કારમાં સવાર 3 બાળક અને પુરુષનો મૃતદેહ બહાર કઢાયો
મહિલાની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી
નપાની ટીમ અને સ્થાનિકોની મદદથી શોધખોળ શરુ કરાઈ#Gujarat #Babanskantha #Tharad #canal #Gujaratfirst pic.twitter.com/4ikmVUUwGL— Gujarat First (@GujaratFirst) April 2, 2025
આ પણ વાંચોઃ Sensitive FIR : રાજકોટ અગ્નિકાંડની જેમ પોલીસે ડીસા ફટાકડા ફેક્ટરીની દુર્ઘટનામાં ફરિયાદની હક્કિતો છુપાવી
અકસ્માત થતાં જ સ્થાનિકો દોડી આવ્યા
થરાદના દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં કાર ખાબકવાના સમાચાર આગવેગે પ્રસરી જતા જ સ્થાનિકો સત્વરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ થરાદ નગર પાલિકાને આ ગમખ્વાર અકસ્માત વિશે જાણ કરી. જેથી થરાદ નગર પાલિકાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. કર્મચારીઓ અને સ્થાનિકોએ સાથે મળીને કુલ 4 મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. મૃતકોમાં 3 બાળકોનો સમાવેશ થતો હોવાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હજૂ પણ 1 મહિલાની કેનાલમાં શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad : આનંદ નિકેતન સ્કૂલ બસનાં અકસ્માત અંગે Gujarat First એ સંચાલકોનો સંપર્ક કર્યો પરંતુ...