Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GSRTC માં ભરતીના નામે કાંડ! વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ઘટસ્ફોટ

GSRTC : રાજ્યમાં સરકારી નોકરીની આશાએ યુવાનો ઠગાઈનો ભોગ બની રહ્યા હોવાનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)માં નોકરી અપાવવાના નામે થયેલી ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.
gsrtc માં ભરતીના નામે કાંડ  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ઘટસ્ફોટ
Advertisement
  • સરકારી ભરતીમાં નોકરીની લાલચે ઠગાઈનો પર્દાફાશ
  • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ગંભીર આરોપ
  • GSRTCમાં નોકરી અપાવવાના નામે કરાઈ ઠગાઈ
  • પૈસા લઈને બોગસ એપોઇન્ટમેન્ટ પણ આપ્યાનો દાવ
  • 97,200 રૂપિયા નોકરી માટે ઉમેદવારે આપ્યા

GSRTC : રાજ્યમાં સરકારી નોકરીની આશાએ યુવાનો ઠગાઈનો ભોગ બની રહ્યા હોવાનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)માં નોકરી અપાવવાના નામે થયેલી ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ કૌભાંડમાં મોટા પાયે લોકોને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર આપીને છેતરવામાં આવ્યા છે અને આ મામલે નિષ્પક્ષ તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે. આ ઘટનાએ રાજ્યની ભરતી પ્રક્રિયાઓ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

નોકરીની લાલચે ઠગાઈનો ભોગ બન્યા ઉમેદવારો

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, GSRTCમાં નોકરીની લાલચે 45થી વધુ લોકો સાથે ઠગાઈ થઈ છે. આરોપ છે કે નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચિયન નામના વ્યક્તિઓએ ઉમેદવારો પાસેથી મોટી રકમ લઈને નોકરીનું વચન આપ્યું હતું. આ ઠગાઈનો ભોગ બનેલા ગૌરાંગ ગજ્જરે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું, "મને આશિષ ક્રિશ્ચિયને નિલેશ મકવાણાનો સંપર્ક કરાવ્યો હતો. મને નોકરીની સંપૂર્ણ ગેરંટી આપવામાં આવી હતી અને મારી પાસેથી 97,200 રૂપિયા લેવાયા હતા." ગૌરાંગે વધુમાં દાવો કર્યો કે, આ ઠગાઈમાં ઉપરથી નીચે સુધી સેટિંગ થયું હતું, જેના કારણે તેમને વિશ્વાસ અપાયો હતો.

Advertisement

પૈસાની લેતી-દેતીના પુરાવા

યુવરાજસિંહ જાડેજાએ આ ગંભીર આરોપોને સમર્થન આપવા માટે પુરાવા હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આ ઠગાઈમાં પૈસાની લેતી-દેતીના પુરાવા અમારી પાસે વોટ્સએપ ચેટના રૂપમાં છે." આ પુરાવાઓમાં એવું સ્પષ્ટ થાય છે કે ઉમેદવારો પાસેથી રકમ લઈને બોગસ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. જોકે, આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી. યુવરાજસિંહે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, "આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવા હોવા છતાં FIR દાખલ કરવામાં આવી નથી, જે ચોંકાવનારું છે."

Advertisement

ગૌરાંગ ગજ્જરનો ખુલાસો

આ કૌભાંડનો ભોગ બનેલા ગૌરાંગ ગજ્જરે પોતાની વાત રજૂ કરતાં આ ઘટનાની ગંભીરતા પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે, આશિષ ક્રિશ્ચિયને તેમને નિલેશ મકવાણા સાથે સંપર્ક કરાવ્યો હતો. ગૌરાંગના જણાવ્યા મુજબ, "મને કહેવામાં આવ્યું હતું કે નોકરી પાક્કી છે અને આ માટે મારે 97,200 રૂપિયા ચૂકવવા પડશે. મેં આ રકમ આપી, પરંતુ નોકરી મળી નહીં અને હું ઠગાઈ ગયો." તેમણે એમ પણ ઉમેર્યું કે આ ઠગાઈમાં ઉપર સુધીનું સેટિંગ હતું.

મોટા કૌભાંડની શક્યતા

યુવરાજસિંહ જાડેજાએ આ મામલે નિષ્પક્ષ અને યોગ્ય તપાસની માગ કરી છે. તેમનું કહેવું છે કે, જો આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો એક મોટું કૌભાંડ બહાર આવી શકે છે. તેમણે આક્ષેપ કર્યો કે આવી ઠગાઈની ઘટનાઓ સરકારી ભરતી પ્રક્રિયામાં નવી નથી, પરંતુ તેની સામે કડક પગલાં લેવામાં નિષ્ફળતા સરકારી તંત્રની ગંભીર ખામી દર્શાવે છે. 45થી વધુ લોકો સાથે થયેલી આ ઠગાઈ એ દર્શાવે છે કે આ એક સુનિયોજિત રેકેટ હોઈ શકે છે, જેના તાર ઉચ્ચ સ્તર સુધી જોડાયેલા હોઈ શકે છે.

આ પણ વાંચો :   Government Jobs : શું તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ? આવ્યા આ મોટા સમાચાર

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

star cricket થયો ઇજાગ્રસ્ત,ચાર મહિના ક્રિકેટથી રહેશે દૂર!

featured-img
ભાવનગર

Bhavnagar : ગોઝારી ઘટના! નદીમાં નહાવા ગયેલા 4 પૈકી 2 મિત્રનાં ડૂબી જતાં મોત

featured-img
અમદાવાદ

Sujok Therapy : શું 'રંગ' આરોગ્ય અને ભાવનાઓને બેલેન્સ કરે છે ? જાણો રંગોની અનોખી થેરાપી વિશે

featured-img
ટેક & ઓટો

Starlink Internet ની સ્પીડ કેટલી મળશે? ભારતમાં કેટલી હશે કિંમત? જાણો સમગ્ર માહિતી

featured-img
આંતરરાષ્ટ્રીય

ગુજરાત અને મોરિશિયસ : એક ઐતિહાસિક સંબંધ

featured-img
ગુજરાત

Aravalli : કથિત નકલી સિંચાઈ કચેરી બાબતે ફરિયાદ નોંધાઈ, તત્કાલીન MLA એ પાડી હતી રેડ!

Trending News

.

×