ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Tharad : વાવની સપ્રેડા કેનાલ અબોલ પશુઓ માટે બની ઘાતક

Tharad : બનાસકાંઠા (BANASKANTHA)  જિલ્લામાં થરાદ (Tharad )પાસેથી પસાર થતી નર્મદા કેનાલ અબોલ પશુઓ માટેઘાતક બની રહી છે કારણ કે છેલ્લા 2 દિવસમાં કેનાલમાં પડી ગયેલા 6 અબોલ પશુઓને બહાર કાઢવામાં આવ્યા છે. મહામહેનતે પાંચ નીલગાયને બહાર કાઢવામાં આવી થરાદ...
01:31 PM Mar 18, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
THARAD

Tharad : બનાસકાંઠા (BANASKANTHA)  જિલ્લામાં થરાદ (Tharad )પાસેથી પસાર થતી નર્મદા કેનાલ અબોલ પશુઓ માટેઘાતક બની રહી છે કારણ કે છેલ્લા 2 દિવસમાં કેનાલમાં પડી ગયેલા 6 અબોલ પશુઓને બહાર કાઢવામાં આવ્યા છે.

મહામહેનતે પાંચ નીલગાયને બહાર કાઢવામાં આવી

થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં નીલગાયો અને નાનાં બચ્ચાં પડતાં નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મહામુસીબતે રેસ્ક્યું કાર્યવાહી શરુ કરાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મહામહેનતે પાંચ નીલગાયને બહાર કાઢવામાં આવી હતી અને તમામને જંગલ વિસ્તારમાં છોડી દેવાયા હતા.

નીલ ગાયોને જીવિત બહાર કાઢી

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની સપ્રેડા કેનાલમાં મુખ્ય કેનાલમાં નીલ ગાયો પડી હોવાનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિતના જવાનો તાત્કાલિક કેનાલ ખાતે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે અને જીવદયાપ્રેમીના સહકારથી ભારે જહેમત બાદ નીલ ગાયો ને જીવિત બહાર કાઢી હતી અને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી.

નર્મદાની મુખ્ય કેનાલમાં અનેક વખત પશુઓ પડ્યાં

ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે નર્મદાની મુખ્ય કેનાલમાં અનેક વખત પશુઓ પડ્યાં હોવાના લોકોના કોલ અમને મળતાં હોય છે જેમાં હું અને મારી ટીમ તાત્કાલિક પહોંચી કેનાલમાં પડેલ પશુઓને બહાર કાઢીએ છીએ અને જંગલ વિસ્તારમાં છોડી દઇએ છીએ છેલ્લા બે દિવસમાં 6 જેટલાં અબોલ પશુઓના જીવ ફાયર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા છે ત્યારે થરાદ ફાયર ટીમ ની સરાહનીય કામગીરી જોવા મળી હતી

અહેવાલ---યશપાલસિંહ વાઘેલા, થરાદ

આ પણ વાંચો----- LOKSABHA 2024 : અમદાવાદ ખાતે ભાજપ દ્વારા અત્યાધુનિક મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

આ પણ વાંચો----- VADODARA : આચાર સંહિતા લાગુ થતા 2974 થી વધુ રાજકીય પ્રચાર સામગ્રી દુર કરાઇ

આ પણ વાંચો---- કુખ્યાત સાયચા બંધુના ગેરકાયદેસર બાંધકામો પર આજે ફરી ચાલશે દાદાનું બુલડોઝર

Tags :
Cattlefire brigadeGujaratGUJARAT FIIRSTNARMDA CANALRescueSapreda CanalTharad