Surat: કેમિકલ વાળા કેળા'! Gujarat First Reality Check માં ચોંકાવનારો ખુલાસો, જુઓ Video
- કેળા આરોગતા લોકો માટે ચેતવણી સમાન અહેવાલ
- સુરતમાં ફ્રૂટ માર્કેટમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલીટી ચેક કર્યું
- ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો
- ફ્રૂટ માર્કેટમાં કેમિકલયુક્ત પાણીથી કેળા પકવવાનું કારસ્તાન
Surat Banana Ripening Scam : ઉનાળાની સીઝન હાલ ચાલી રહી છે. જેને લઈ સુરત આરોગ્ય વિભાગ (Surat Helth Department) દ્વારા થોડા સમય પહેલા પાણીપુરીની લારીઓવાળાને ક્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન બિનઆરોગ્યપ્રદ (Unhealthy) ચીજ વસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે એક તરફ તંત્ર દ્વારા નાના વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જ્યારે મોટા વેપારીઓને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવાનો પરવાનો આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા સુરત (Surat) નાં પુણા વિસ્તારમાં આવેલ ફ્રૂટ માર્કેટ (Frut market)માં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલીટી (Gujarat First Reality Check) ચેક કરવામાં આવી હતી. આ રીયાલીટી (Gujarat First Reality Check) ચેક હાથ ધરતા મોટો ઘટસ્ફોટ થવા પામ્યો હતો. જેમાં વેપારીઓ વધુ નફો કમાવવાની લ્હાયમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાનની નીતિ સામે લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આવા વેપારીઓને ત્યાં ક્યારે ચેકીંગ હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું.
કેળાને કેવી રીતે પકવવામાં આવે છે
ગુજરાત ફર્સ્ટ (Gujarat First Reality Check) દ્વારા હાથ ધરવામાં આવેલ રિયાલિટી ચેક (Reality Check) માં મોટો ખુલાસો થવા પામ્યો હતો. જેમાં કેળા પાણીથી ધોવામાં લાલ રંગના કેમિકલયુક્ત પાણી (Chemical-laden water) માં કેળા ડુબાડી પ્લાસ્ટિકનાં કેટેરમાં ભરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. કેમિકલયુક્ત પાણીમાં (Chemical-laden water) કેળા પલાળ્યા બાદ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે. તેમજ 24 કલાકની અંદર ઝડપી રીતે કેળા પકવવા વેપારીઓ દ્વારા લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું રિયાલીટી ચેક (Reality Check) માં સામે આવ્યું હતું.
સાફ સફાઈ માટે કેળાને ધોવામાં આવી રહ્યા છેઃ વેપારી
કેળાને કેમ લાલ કલરનાં કેમિકલયુક્ત પાણીમાં (Red colored chemical-laden water) ધોવામાં આવે છે. તે બાબતે વેપારીને પૂછતા વેપારીઓ પોતાનો લુલા બચાવ કરતા જણાવ્યું હતું કે, સફાઈ માટે કેળાને ધોવામાં આવી રહ્યા છે. તેમજ પાણી બાબતે પૂછતા વેપારીએ આ પાણી પીવાનું પાણી છે જેનાથી કેળાને સાફ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Surat: MD ડ્રગ્સનાં સોદાગરોનો નવી મોડસ ઓપરેન્ડી, પોલીસ પૂછપરછ દરમ્યાન થયા અનેક ખુલાસા
વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશેઃ જગદીશ સાલુંકે (ફૂડ સેફ્ટી ઑફિસર, SMC)
આ બાબતે સુરત મહાનગર પાલિકા (SMC)ના ફ્રૂડ સેફ્ટી ઓફીસર (Food Safety Officer) જગદીશ સાલુંકે જણાવ્યું હતું કે ફ્રૂડ સેફ્ટી ઓફીસરો (Food Safety Officer) ને ચેક કરવા તેમજ ફ્રૂડ સેફ્ટી (Food Safety) મુજબ કાર્યવાહી કરવા જણાવેલ છે. ફ્રૂડ વિભાગ (Food Department) દ્વારા અવાર નવાર અમારા તરફથી તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. જો હકીકત બહાર આવશે તો કડકથી કડક કાર્યવાહી વેપારીઓ સામે કરવામાં આવશે. તેમજ ભૂતકાળમાં પણ તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકારનાં કેળા આરોગવાથી પેટના રોગો થવાની સંભાવના છે. આવી કોઈ પણ હકીકત તપાસમાં સામે આવશે તો પગલા ભરાશે.
આ પણ વાંચોઃ Junagadh: અનેક ધક્કા ખાવા છતાં જમીનનાં પ્રશ્નો હલ ન થતા મહિલા સરચંપ બન્યા લાચાર